મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ટીમ રવિવારે બીજા તબક્કાની પોતાની પ્રથમ મેચમાં, તેમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિના જ મેદાને ઉતરી છે. રોહિત શર્મા થોડા દિવસ પહેલા માન્ચેસ્ટરથી અબુ ધાબી પહોંચ્યો હતો. જોકે, પ્રથમ મેચ માટે રોહિત સંપૂર્ણપણે ફિટ નથી અને તેથી જ તે મેદાન પર આવી શક્યો નથી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ મેદાને ઉતર્યો નથી. વિસ્ફોટક બેટ્સમેન કિયરોન પોલાર્ડ (Kieron Pollard) ને રોહિત શર્માની જગ્યાએ ટીમના કેપ્ટન તરીકે ભૂમિકા નિભાવી રહ્યો છે.
કોરોનાને કારણે IPL 2021 મુલતવી રાખવામાં આવી હતી. આ પછી, રવિવારે ફરી લીગ શરૂ થઈ, જેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Mumbai Indians vs Chennai Super Kings)વચ્ચે રમાઈ રહી છે. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચને IPL ની ‘અલ ક્લાસિકો’ કહેવામાં આવે છે.
.@KieronPollard55: “Rohit isn’t playing and Hardik also misses out.”#OneFamily #MumbaiIndians #IPL2021 #CSKvMI
— Mumbai Indians (@mipaltan) September 19, 2021
મેચની શરૂઆત પહેલા જ્યારે કેપ્ટનોને ટોસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડીયન્સના સ્ટાર કિયરોન પોલાર્ડને બહાર આવતા ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કિયરોને ટોસ હાર્યા બાદ રોહિત શર્માની તબિયત અંગે અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું, ‘રોહિતની તબિયત આજે નહીં તો કાલે ઠીક રહેશે. આજ માટે હું ટીમનો કેપ્ટન છું.
અનમોલપ્રીત સિંહને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે મુંબઈ માટે ડેબ્યૂ કરી રહ્યો છે. આ સિવાય મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) નથી. જસપ્રિત બુમરાહ મુંબઈ માટે આ મેચ રમી રહ્યો છે. આ તેની IPL ની 100 મી મેચ હશે. તેણે અત્યાર સુધી આઈપીએલમાં 99 મેચ રમી છે અને 115 વિકેટ લીધી છે. તે મુંબઈનો મહત્વનો બોલર છે.
Published On - 7:39 pm, Sun, 19 September 21