AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ, ટૂર્નામેન્ટની બાકીની મેચોને UAE માં રમાડવી ‘વરદાન’ રુપ, કેમ આમ કહ્યુ, જાણો

IPL 2021 ની 29 મેચ ભારતમાં રમાઇ હતી આ દરમ્યાન બાયોબબલમાં કોરોના સંક્રમણ ફેલાતા ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવામાં આવી હતી. બાદમાં BCCI એ બાકીની મેચોને ભારત બહાર રમાડવાનો નિર્ણય કર્યો હતો.

IPL 2021: BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ, ટૂર્નામેન્ટની બાકીની મેચોને UAE માં રમાડવી 'વરદાન' રુપ, કેમ આમ કહ્યુ, જાણો
IPL 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 12:43 PM
Share

IPL 2021 નો બીજો તબક્કો હાલમાં UAE માં રોમાંચક તબક્કામાં છે. હાલમાં ટીમો વચ્ચે પ્લેઓફમાં ટીકીટ કાપવાની ફાઇટ ચાલી રહી છે. આ પહેલા IPL 2021 ની સિઝન ભારતમાં રમાઇ રહી હતી. પરંતુ કોરોના વાયરસ ને લઇને તેને અટકાવી દેવી પડી હતી. બાદમાં BCCI એ ટૂર્નામેન્ટની બાકીની મેચ યુએઇમાં રમાડવા માટેનો નિર્ણય લેવો પડ્યો હતો. જે નિર્ણય હવે વરદાનરુપ નિવડી રહ્યો છે. BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) આ વાતનો સ્વિકાર કર્યો છે.

BCCI સેક્રેટરી જય શાહે પ્રાદેશિક સંઘોને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આઇપીએલ ને યુએઇમાં ખસેડવાની વાતને પણ ટાંકી છે. તેઓએ પત્ર મારફતે કહ્યુ છે કે, ભારતીય ક્રિકેટરો માટે આઇપીએલ ની બાકીની મેચો યુએઇમાં રમાડવા થી ટી20 વિશ્વકપ (T20 World Cup) ની તૈયારીઓનો મોકો મળ્યો છે. તેઓએ કહ્યુ કે, જોવામાં આવે તો આ પગલુ વરદાન સાબિત થયુ છે. કારણ કે ટૂર્નામેન્ટ બાદ તુરત જ ટી20 વિશ્વકપ શરુ થનારો છે. જે માટે આઇપીએલ સ્તરની ટૂર્નામેન્ટથી વધારે સારુ પ્લેટફોર્મ બીજુ કયુ હોઇ શકે.

આગળ લખ્યુ છે કે, મને વિશ્વાસ છે કે, આઇપીએલનો બીજો તબક્કો વિશ્વકપની પહેલા તૈયારી માટે આદર્શ મંચ હશે. ભારતીય ટીમને સર્વશ્રેષ્ઠ પ્રકારની તૈયારીઓ કરવામાં મદદ મળશે. આઇપીએલ 2021 ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરે રમાનારી છે. જેના બે દિવસ બાદ એટલે કે 17 ઓક્ટોબરે ટી20 વિશ્વપ શરુ થનાર છે. જે ઓમાન અને યુએઇમાં રમાનાર છે. જેના આયોજક હક્ક બીસીસીઆઇ પાસે છે.

IPL 2021 તેના અંતિમ તબક્કામાં

હાલમાં આઇપીએલની 43 મેચ રમાઇ ચુકી છે. જેમાં મોટા ભાગની ટીમો તેમની 11-11 મેચ રમી લીધી છે. હવે આઠેય ટીમો માટે 3-3 મેચોની ટક્કર બાકી રહી છે. જેમાં અંતિમ બે મેચોને બીસીસીઆઇએ એક જ સમયે બે જુદા જુદા સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લીધો છે. આઇપીએલમાં ઇતિહાસમાં પ્રથમ વાર થઇ રહ્યુ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ હાલની સ્થિતી સૌથી આગળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ IPL 2021: યુઝવેન્દ્ર ચહલે ટીમ ઇન્ડીયાના પસંદગીકારોને આપ્યો સણસણતો જવાબ, આઇપીએલ દરમ્યાન કર્યુ જબરદસ્ત પ્રદર્શન

આ પણ વાંચોઃ IPL 2021: આજે સિઝનમાં ટોપર ચેન્નાઇ અને તળીયે રહેલી હૈદરાબાદની ટીમની ટક્કર, ધોનીની ટીમ આજે પ્લેઓફ માટે રમશે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">