AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર

ભારત સામે ચાલી રહેલ ટી20 સીરિઝ પહેલી મેચમાં શ્રીલંકા 62 રનથી હારી ચુક્યું છે. હવે 26 ફેબ્રુઆરીએ બીજી ટી20 મેચ અને 27 ફેબ્રુઆરીએ ત્રીજી મેચ ધર્મશાળામાં રમાશે.

INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર
Sri Lanka and Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 8:28 PM
Share

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ શુક્રવારે જણાવ્યું કે સ્પિનર મહેશ દીક્ષાના અને બેટ્સમેન કુસલ મેંડિસ ઇજાના કારણે હાલની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. કુસલ મેંડિસ (Kusal Mendis) ઇજામાંથી બહાર આવ્યા બાદ ભારત (Team India) સામેની બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. ઇજાગ્રસ્ત થનાર ખેલાડીઓના સ્થાને નિરોશન ડિકવેલા અને ધનંજય ડી સિલ્વાનો ટી20 ટીમમાં સમાવેશ કર્યો છે. મેંડિસે જાન્યુઆરી 2021 થી ટેસ્ટ ટીમમાં ભાગ નથી લીધો. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચમી ટી20 મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો એવોર્ડ જીત્યો હતો.

શ્રીલંકા માટે પહેલી 6 ઓવરમાં દીક્ષાના મુખ્ય બોલરોમાંનો એક છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એ પણ કહ્યું કે દીક્ષાનાની સાથે વાનિંદુ હસરંગા પણ સ્વદેશ પરત ફરશે અને ભારત સામેની ટી20 સીરિઝમાં નહીં રમે. કારણ કે તે પણ હજુ સુધી કોવિડ-19 માંથી હજુ બહાર આવી નથી શક્યો.

શ્રીલંકાએ ગુરુવારે લખનઉમાં ભારત સામે પહેલી ટી20 મેચ 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો હવે શનિવારે અને રવિવારે ક્રમશ: બીજી અને ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમશે.

આ વચ્ચે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં ઓફ સ્પિનર રમેશ મેંડિસને ઇજાના કારણે ટીમમાં સમાવેશ કર્યો નથી. ભારત સામે ટેસ્ટમાં સીનિયર ફાસ્ટ બોલર સુરંગા લકમલની અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સીરિઝને યાદગાર બનાવવા માંગશે. જેણે ભારત સામેની સીરિઝ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી છે.

ટેસ્ટ ટીમમાં સભ્યો જે ટી20 ટીમનો ભાગ નથી, તે શુક્રવારે સવારે ભારત માટે રવાના થશે. દિમુથ કરૂણારત્નેએ કહ્યું કે, “ભારતમાં રમવું સહેલું નથી. અમે જાણીએ છીએ કે ભુતકાળમાં અમે ભારતમાં રમ્યા છે અને તે સહેલું નથી. પણ અમે છેલ્લે કેટલાક વર્ષોમાં ઘણું સારૂ રમ્યા છીએ. મને લાગે છે કે અમે ભારત સામે સારૂ કરી શકીએ છીએ.

શ્રીલંકાની ટીમઃ

દિમુથ કરૂણારત્ને (સુકાની), પથુમ નિસાનકા, લાહિરૂ થિરિમાને, ધનંજયા ડી સિલ્વા (ઉપ સુકાની), એંજેલો મેથ્યુસ, દિનેશ ચંદીમલ, ચરિથ અસાલંકા, નિરોશન ડિકવેલા, ચમિકા કરૂણારત્ને, લાહિરૂ કુમારા, સુરંગા લકમલ, દુષ્મંથા ચમીરા, અવિષ્કા ફર્નાંડો, જેફરી વેંડરસે, પ્રવીણ જયવિક્રેમા અને લસિથ એમ્બુલડેનિયા.

આ પણ વાંચો : શું જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડની કારકિર્દી પુરી થઇ ગઇ? સુકાની જો રૂટે મહત્વનું નિવેદન આપ્યું

આ પણ વાંચો : રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સામે બોલીને મુશ્કેલીમાં મુકાયો રિદ્ધિમાન સાહા, BCCI પુછપરછ કરશે

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">