INDvSL: બીજી T20 પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, વધુ 2 ખેલાડી સીરિઝમાંથી થયા બહાર
ભારત સામે ચાલી રહેલ ટી20 સીરિઝ પહેલી મેચમાં શ્રીલંકા 62 રનથી હારી ચુક્યું છે. હવે 26 ફેબ્રુઆરીએ બીજી ટી20 મેચ અને 27 ફેબ્રુઆરીએ ત્રીજી મેચ ધર્મશાળામાં રમાશે.
શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ શુક્રવારે જણાવ્યું કે સ્પિનર મહેશ દીક્ષાના અને બેટ્સમેન કુસલ મેંડિસ ઇજાના કારણે હાલની ટી20 સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. કુસલ મેંડિસ (Kusal Mendis) ઇજામાંથી બહાર આવ્યા બાદ ભારત (Team India) સામેની બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. ઇજાગ્રસ્ત થનાર ખેલાડીઓના સ્થાને નિરોશન ડિકવેલા અને ધનંજય ડી સિલ્વાનો ટી20 ટીમમાં સમાવેશ કર્યો છે. મેંડિસે જાન્યુઆરી 2021 થી ટેસ્ટ ટીમમાં ભાગ નથી લીધો. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચમી ટી20 મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ નો એવોર્ડ જીત્યો હતો.
શ્રીલંકા માટે પહેલી 6 ઓવરમાં દીક્ષાના મુખ્ય બોલરોમાંનો એક છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એ પણ કહ્યું કે દીક્ષાનાની સાથે વાનિંદુ હસરંગા પણ સ્વદેશ પરત ફરશે અને ભારત સામેની ટી20 સીરિઝમાં નહીં રમે. કારણ કે તે પણ હજુ સુધી કોવિડ-19 માંથી હજુ બહાર આવી નથી શક્યો.
શ્રીલંકાએ ગુરુવારે લખનઉમાં ભારત સામે પહેલી ટી20 મેચ 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો હવે શનિવારે અને રવિવારે ક્રમશ: બીજી અને ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ ધર્મશાળાના સ્ટેડિયમમાં રમશે.