AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતની બે ક્રિકેટ ટીમો એક સાથે મેદાન પર ઉતરી શકે છેઃ રિપોર્ટ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમ્યાન ભારત પોતાની બી ટીમ મેદાન પર ઉતારી શકે છેઃ સુત્ર

ભારતની બે ક્રિકેટ ટીમો એક સાથે મેદાન પર ઉતરી શકે છેઃ રિપોર્ટ
Team India (PC: BCCI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:10 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) નો કાર્યક્રમ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા ઘણો વ્યસ્ત છે. હાલમાં જ મળી રહેલ માહિતી પ્રમાણે વર્લ્ડ કપથી પહેલા ભારતીય ટીમ વધુ ત્રણ પ્રવાસ કરશે અને આ કારણે હવે ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ વધુ વ્યસ્ત થઇ ગયો છે. આ કારણથી ભારતની બે ટીમો તૈયાર કરવામાં આવી શકે છે. આ પહેલા પણ જ્યારે ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડના (England Cricket) પ્રવાસ પર હતી ત્યારે ભારતી બીજી ટીમ શ્રીલંકાના પ્રવાસે પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે બીસીસીઆઈએ વર્લ્ડ કપથી પહેલા વધુ ત્રણ વિદેશ પ્રવાસનો પ્લાન ઘડ્યો છે. આ સીરિઝ જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ અને ટી20 વર્લ્ડ કપ પહેલા રમાશે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર આયરલેન્ડ સામે એક માત્ર ટી20 મેચ રમાશે. ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ટીમ વેસ્ટ ઇન્ડિઝ માટે રવાના થઇ જશે. ત્યારબાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે અને ત્યારબાદ યુએઈમાં એશિયા કપના આયોજનમાં ભાગ લેશે. ગત વર્ષે એશિયા કપનું આયોજન થયું ન હતું.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારતની બીજી ટીમ જઇ શકે છેઃ સુત્ર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે બીસીસીઆઈના એક અધિકારીએ વાત કરતા જણાવ્યું કે, “બાયો-બબલની ચર્ચા પહેલાથી જ શરૂ થઇ ગઇ છે. દરેક ખેલાડીનો કાર્યક્રમ વ્યસ્ત જણાઇ રહ્યો છે. તેમને ક્યારે બ્રેક લેવો છે તેના માટે સમય આપવામાં આવ્યો છે. એવું લાગે છે કે ભારતની બીજી ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. એક વિચાર પ્રમાણે એશિયા કપ એવી ટુર્નામેન્ટ હશે જ્યા ટી20 વર્લ્ડ કપથી પહેલા પોતાનું કોમ્બિનેશન તૈયાર કરવા માટે ભારત પોતાની પહેલી ટીમ ઉતરશે.”

પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર
IPL ક્રિકેટર જોડિયા બાળકોનો પિતા બન્યો, આવો છે પરિવાર
પોટલી માલિશના ફાયદા શું છે?
ક્યારેક આપણને અચાનક કોઈનું નામ કેમ ભુલી જાય છીએ?
Vastu Tips: બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ કઈ દિશામાં રાખવું જોઈએ?
ઘરમાં મીઠો લીમડો ઉગાડવો શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમ

તમને જણાવી દઇએ કે આઈપીએલ પછી સાઉથ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ કરશે. આ સમય દરમ્યાન બંને દેશો વચ્ચે 9 જુનથી 19 જુન સુધી પાંચ ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. જુલાઈમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ બર્મિંગહામમાં એક ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ ટીમ ત્રણ ટી20 અને ત્રણ વન-ડે પણ ઇંગ્લેન્ડ સામે રમશે. અંતિમ વન-ડે મેચ 17 જુલાઈના રોજ રમાશે.

આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા માટે ભારતને રોકવું અશક્ય, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ‘અજેય’ છે, જાણો સંપૂર્ણ રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">