ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 17 ખેલાડીઓને મળ્યું સ્થાન

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાવાની છે. આ પહેલા દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામાં રમાશે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 17 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
Physical Disability Champions TrophyImage Credit source: X/DCCIOFFICIAL
Follow Us:
| Updated on: Jan 06, 2025 | 5:03 PM

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં રમાવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં રમાશે અને બાકીની તમામ મેચોનું આયોજન પાકિસ્તાન કરશે. 8 વર્ષ પછી વાપસી કરવા જઈ રહેલી આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 9 માર્ચ સુધી રમાશે. આ પહેલા દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામાં રમાવાની છે, જે 12 જાન્યુઆરીથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય વિકલાંગ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ 17 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત

2019 પછી પહેલીવાર દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. જેના માટે ડિસેબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI)ની નેશનલ સિલેક્શન પેનલે મુખ્ય કોચ રોહિત જલાનીના નેતૃત્વમાં જયપુરમાં પ્રશિક્ષણ શિબિર બાદ ટીમની પસંદગી કરી છે. વિક્રાંત રવિન્દ્ર કેનીને 17 સભ્યોની ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર ગોપીનાથ સાંતેને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્ય કોચ રોહિત જલાનીએ કહ્યું, ‘આ એક સંતુલિત ટીમ છે જે કોઈપણ પ્રતિસ્પર્ધીનો સામનો કરવા માટે તૈયાર છે.’

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

ભારતીય ટીમનું શેડ્યૂલ

આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 12 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યાથી રમાશે. આ પછી ભારતીય ટીમ 13 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા તેની ત્રીજી મેચ શ્રીલંકા સામે રમશે, જે 15 જાન્યુઆરીએ રમાશે. આ પછી ભારતીય ટીમ ફરી 16 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે. 18 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ અને 19 જાન્યુઆરીએ શ્રીલંકા સામે પણ મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 21 જાન્યુઆરીએ રમાશે.

ટીમ ઈન્ડિયા

વિક્રાંત રવિન્દ્ર કેની (કેપ્ટન), રવિન્દ્ર ગોપીનાથ સાંતે (વાઈસ-કેપ્ટન), યોગેન્દ્ર સિંહ (વિકેટકીપર), અખિલ રેડ્ડી, રાધિકા પ્રસાદ, દીપેન્દ્ર સિંહ (વિકેટકીપર), આકાશ અનિલ પાટીલ, સની ગોયત, પવન કુમાર, જિતેન્દ્ર, નરેન્દ્ર, રાજેશ, નિખિલ મનહાસ, આમિર હસન, માજિદ મગરે, કુણાલ દત્તાત્રેય ફનસ અને સુરેન્દ્ર.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં જસપ્રીત બુમરાહને મળી શકે છે ટીમ ઈન્ડિયામાં મોટી જવાબદારી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">