AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનુ BCCI એ કર્યુ એલાન

India vs Australia: ભારતે નાગપુર અને દિલ્લી ટેસ્ટમાં શાનદાર જીત મેળવીને બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે. હવે બાકીની બંને ટેસ્ટ માટે ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે.

IND vs AUS: ઈન્દોર અને અમદાવાદ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનુ BCCI એ કર્યુ એલાન
Team India announced for last 2 test of Border Gavaskar Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:41 PM
Share

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને મેચ સમાપ્ત થઈ ચુકી છે. દિલ્લીમાં રમાયેલી ટેસ્ટ મેચનુ પરીણામ આજે રવિવારે ત્રીજા દિવસે સામે આવ્યુ હતુ. આમ ભારતે બંને ટેસ્ટ મેચ જીતીને લઈને ટ્રોફી પર કબ્જો જમાવી લીધો છે. હવે સિરીઝની બાકીની ટેસ્ટ મેચ પૈકી ત્રીજી ઇન્દોરમાં અને ચોથી અમદાવાદમાં રમાનારી છે. આ બંને ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ ની બીસીસીઆઈએ રવિવારે જ જાહેરાત કરી હતી.

ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં હવે ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાનો ઈરાદો રાખે છે. ભારતે સિરીઝમાં 2-0 થી અજેય લીડ બનાવી લીધી છે અને ટ્રોફી પર કબ્જો કરી લીધો છે. પ્રથમ બંને ટેસ્ટમા વિજયી રહેલી ટીમને જાળવી રાખવામાં આવી છે. ભારતીય ટીમની નજર ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવા સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ પાકી કરી લેવા પર છે.

સ્ક્વોડ જાળવી રખાઈ

કેએલ રાહુલને આગળની બંને ટેસ્ટ મેચ માટે ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. રાહુલની રમત હાલમાં નિરાશ કરનારી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ બંને મેચમાં કેએલ રાહુલે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે. આમ છતાં ભારતીય ક્રિકેટ ટીમની સિનિયર સિલેક્શન સમિતિએ રાહુલને અંતિમ બંને ટેસ્ટ માટે યથાવત રાખ્યો છે.

સિરીઝની પ્રથમ બંને ટેસ્ટમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છવાયેલો રહ્યો હતો. જાડેજાએ દિલ્લી અને નાગપુર બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી સર્જી હતી.અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે શરુઆતની બંને ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં ટીમની જવાબદારી સ્વિકારીને રમત દર્શાવી હતી. તેણે મુશ્કેલીઓને ટાળવા સમાન રમત રમી હતી.

ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">