AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS ODI: વનડે શ્રેણી માટે ભારતીય ટીમનુ એલાન કરાયુ, હાર્દિક પંડ્યા કરશે આગેવાની

India Vs Australia ODI: 17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થનારી છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળ્યુ છે.

IND vs AUS ODI: વનડે શ્રેણી માટે ભારતીય ટીમનુ એલાન કરાયુ, હાર્દિક પંડ્યા કરશે આગેવાની
IND vs AUS ODI series Indian Cricket Team squad announced
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:41 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ભારતે શરુઆતની બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. 4 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાનારી છે. આ સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ નુ એલાન કર્યુ છે. વનડે ફોર્મેટમાં હાર્દિક પંડ્યા પ્રથમ વાર કેપ્ટનશિપ સંભાળતો જોવા મળી શકે છે.

રોહિત શર્મા અંગત કારણોસર વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય. નિયમીત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળશે. પંડ્યા વનડે ફોર્મટમાં કેપ્ટનશિપ નિભાવવાનો મોકો મળશે. આગામી 17 માર્ચથી વનડે સિરીઝની શરુઆત થનારી છે.

વનડેમાં જાડેજા પરત ફર્યો, ઉનડકટને સ્થાન

વનડે સિરીઝમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થયો છે. ઘૂંટણમાં ઈજાને લઈ જાડેજા લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યા બાદ ટેસ્ટ સિરીઝની શરુઆત સાથે પરત ફર્યો હતો. ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમ ઈન્ડિયામાં જાડેજાના પરત ફરવાને લઈ મધ્યક્રમ વધારે મજબૂત થશે. ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.

રણજી ચેમ્પિયન બનેલુ સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને વનડે ટીમમાં સ્થાન મળ્યુ છે. અંતિમવાર 2013 માં ભારતીય ટીમનો વનડે ટીમમાં સમાવેશ થયો હતો. હવે ફરી એકવાર તેને રણજી ચેમ્પિયન બન્યા બાદ વનડે ટીમમાં સ્થાન અપાયુ છે. જયદેવની કેપ્ટનશિપમાં 3 મહિના પહેલા સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફીની ફાઈનલ જીતીને ચેમ્પિયન બન્યુ હતુ.

ચિફ સિલેક્ટર વિના ટીમની પસંદગી

ટીમ ઈન્ડિયાની ઘોષણાં ચિફ સિલેક્ટર વિના જ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડની સિનિયર સિલેક્શન સમિતિએ મુખ્ય પસંદગીકાર વિના જ ટીમની પસંદગી કરી હતી. સમિતિએ ટેસ્ટ ક્રિકેટ ટીમને યથાવત રાખી હતી, બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમિયાનની પ્રથમ બે ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવેલી સ્ક્વોડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.

IND vs AUS: ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

Follow Us
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">