AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS ODI: વનડે શ્રેણી માટે ભારતીય ટીમનુ એલાન કરાયુ, હાર્દિક પંડ્યા કરશે આગેવાની

India Vs Australia ODI: 17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની શરુઆત થનારી છે. આ માટે ભારતીય ક્રિકેટ ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળ્યુ છે.

IND vs AUS ODI: વનડે શ્રેણી માટે ભારતીય ટીમનુ એલાન કરાયુ, હાર્દિક પંડ્યા કરશે આગેવાની
IND vs AUS ODI series Indian Cricket Team squad announced
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:41 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ભારતે શરુઆતની બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. 4 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાનારી છે. આ સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ નુ એલાન કર્યુ છે. વનડે ફોર્મેટમાં હાર્દિક પંડ્યા પ્રથમ વાર કેપ્ટનશિપ સંભાળતો જોવા મળી શકે છે.

રોહિત શર્મા અંગત કારણોસર વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય. નિયમીત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળશે. પંડ્યા વનડે ફોર્મટમાં કેપ્ટનશિપ નિભાવવાનો મોકો મળશે. આગામી 17 માર્ચથી વનડે સિરીઝની શરુઆત થનારી છે.

વનડેમાં જાડેજા પરત ફર્યો, ઉનડકટને સ્થાન

વનડે સિરીઝમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થયો છે. ઘૂંટણમાં ઈજાને લઈ જાડેજા લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યા બાદ ટેસ્ટ સિરીઝની શરુઆત સાથે પરત ફર્યો હતો. ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમ ઈન્ડિયામાં જાડેજાના પરત ફરવાને લઈ મધ્યક્રમ વધારે મજબૂત થશે. ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.

રણજી ચેમ્પિયન બનેલુ સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને વનડે ટીમમાં સ્થાન મળ્યુ છે. અંતિમવાર 2013 માં ભારતીય ટીમનો વનડે ટીમમાં સમાવેશ થયો હતો. હવે ફરી એકવાર તેને રણજી ચેમ્પિયન બન્યા બાદ વનડે ટીમમાં સ્થાન અપાયુ છે. જયદેવની કેપ્ટનશિપમાં 3 મહિના પહેલા સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફીની ફાઈનલ જીતીને ચેમ્પિયન બન્યુ હતુ.

ચિફ સિલેક્ટર વિના ટીમની પસંદગી

ટીમ ઈન્ડિયાની ઘોષણાં ચિફ સિલેક્ટર વિના જ કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડની સિનિયર સિલેક્શન સમિતિએ મુખ્ય પસંદગીકાર વિના જ ટીમની પસંદગી કરી હતી. સમિતિએ ટેસ્ટ ક્રિકેટ ટીમને યથાવત રાખી હતી, બોર્ડર ગાવાસ્કર ટ્રોફી દરમિયાનની પ્રથમ બે ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવેલી સ્ક્વોડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.

IND vs AUS: ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">