AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 1st ODI, LIVE Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે જયપુરમાં પ્રથમ T20 મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે

ન્યુઝીલેન્ડ (New Zealand)) ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે જ્યાં તેને ત્રણ મેચની T20 શ્રેણી રમવાની છે, જે આજથી શરૂ થઈ રહી છે.

IND vs NZ, 1st ODI, LIVE Streaming: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે જયપુરમાં પ્રથમ T20 મેચ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે
Jaipur Cricket Stadium
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 9:19 AM
Share

ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021) માં ખરાબ પ્રદર્શનને પાછળ છોડીને ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) બુધવારથી ન્યૂઝીલેન્ડ (New Zealand Cricket Team) સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીમાં નવી શરૂઆત કરી છે.ઉદ્દેશ આવશે. ટીમને આ ફોર્મેટમાં રોહિત શર્મા (Rohit Sharma) ના રૂપમાં નવો કેપ્ટન અને રાહુલ દ્રવિડ (Rahul Dravid) ના રૂપમાં નવો કોચ મળ્યો છે.

આગામી T20 વર્લ્ડ કપ પહેલા દ્રવિડ અને રોહિતની જોડી પાસે સૌથી ટૂંકા ફોર્મેટમાં મજબૂત ટીમ બનાવવા માટે માત્ર 11 મહિનાનો સમય હશે. આ દરમિયાન તેણે ટીમમાં જરૂરી ફેરફારો અને સુધારા કરવા પડશે. ભારતીય ટીમે આ શ્રેણી માટે ઘણા અનુભવી ખેલાડીઓને આરામ આપ્યો છે અને ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. જોવાનું રહેશે કે આ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની આ તકનો કેટલો ફાયદો ઉઠાવે છે.

T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવનાર ન્યુઝીલેન્ડની ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ તરત જ જયપુર પહોંચી ગઇ હતી. તેને પોતાની હારની સમીક્ષા કરવાની વધુ તક મળી ન હતી. મુખ્ય કોચ ગેરી સ્ટેડે પહેલાથી જ વિશ્વ કપ ફાઇનલની નિરાશા બાદ ફરીથી એકત્ર થવા સહિત તેમની ટીમનો સામનો કરી રહેલા પડકારો વિશે વાત કરી છે. કેપ્ટન કેન વિલિયમસનને ટી-20 સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. જેથી તે પછીની ટેસ્ટ સિરીઝ માટે ફ્રેશ થઈ શકે.

તેની ગેરહાજરીમાં ફાસ્ટ બોલર ટિમ સાઉથી (Tim Southee) ટીમનું નેતૃત્વ કરશે. ટ્રેન્ટ બોલ્ટ સાઉથી સાથે બોલિંગની આગેવાની કરશે અને બેટિંગમાં ડેરિલ મિશેલ જેવા ખેલાડીઓની હાજરી ન્યૂઝીલેન્ડને ખતરનાક ટીમ બનાવે છે. આ ટીમ ભારતમાં જ ભારતીય ટીમ સામેના કઠિન પડકારને જોવાની શક્તિ ધરાવે છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યારે રમાશે મેચ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 17 નવેમ્બર (બુધવાર)ના રોજ રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યાં રમાશે મેચ?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ જયપુરના સવાઈ માન સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6.30 કલાકે થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?

Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

ટીમો નીચે મુજબ છે-

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

ન્યૂઝીલેન્ડઃ ટિમ સાઉથી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચૈપમેન, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, કાયલ જેમિસન, એડમ મિલ્ને, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેંટનર, ટિમ સેફર્ટ, ઈશ સોઢી.

આ પણ વાંચોઃ IND vs PAK: ભારતીય ટીમ આગામી 4 વર્ષમાં 2 વાર પાકિસ્તાનનો પ્રવાસ ખેડશે, 16 વર્ષ થી જે નથી થયુ એ ટીમ ઇન્ડિયા કરશે!

આ પણ વાંચોઃ Champions Trophy: પાકિસ્તાનમાં બે દશક બાદ ICC ટૂર્નામેન્ટ યોજવાની તક મળતા ઉત્સવનો માહોલ, પરંતુ જશે કોણ એ મોટો સવાલ!

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">