AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: જયદેવ ઉનડકટને દિલ્લી ટેસ્ટની સ્ક્વોડમાંથી રિલીઝ કરાયો, સૌરાષ્ટ્ર માટે ટીમ ઈન્ડિયાથી અલગ થયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ રણજી ટ્રોફીમાં કર્ણાટકને બીજી સેમિફાઈનલમાં હરાવીને ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. સૌરાષ્ટ્રની કેપ્ટનશિપ ધરાવકો પેસર બોલર હવે ઘરેલુ ટીમ માટે પરત ફરી ફાઈનલ રમશે.

IND vs AUS: જયદેવ ઉનડકટને દિલ્લી ટેસ્ટની સ્ક્વોડમાંથી રિલીઝ કરાયો, સૌરાષ્ટ્ર માટે ટીમ ઈન્ડિયાથી અલગ થયો
Jaydev Unadkat released from Team India squad
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:35 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ પહેલા જયદેવ ઉનડકટને સ્ક્વોડમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ સ્ક્વોડમાં જયદવે ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને નાગપુરમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં અંતિમ ઈલેવનમાં મોકો મળ્યો નહોતો. હવે દિલ્લીમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ઉનડકટને સૌરાષ્ટ્રની ટીમમાં જોડાવવામાં માટે રિલીઝ કરાયો છે. સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ચૂકી છે.

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્ર ટીમે કર્ણાટકને હરાવીને સ્થાન મેળવ્યુ છે. બીજી સેમિફાઈનલ મેચમાં રવિવારે સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હાર આપી હતી. આમ હવે બંગાળ અને કર્ણાટક બંને ટીમો આમને સામને થશે. રણજી ટ્રોફીની ફાઈનલ માટે જયદેવ ટીમનુ સુકાન સંભાળશે.

ઉનડકટ સૌરાષ્ટ્ર ટીમનો સુકાની

જયદેવને રિલીઝ કરવાને લઈ બીસીસીઆઈ દ્વારા પ્રેસ રિલીઝ આપવામાં આવી હતી. જેમાં બતાવ્યુ હતુ કે, ઓલ ઈન્ડિયા પસંદગી સમિતીએ ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. જે મુજબ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચથી પેસર જયદેવ ઉનડકટને રિલીઝ કરવામાં આવ્યો છે. આમ કરવાનુ કારણ બતાવ્યુ છે કે, જયદેવ ઉનડકટનુ સુકાન ધરાવતી સૌરાષ્ટ્ર ટીમ રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ચુકી છે.

કોલાકાતાના ઈડન ગાર્ડનમાં રણજી ટ્રોફી મેચ રમાનારી છે. જેની શરુઆત 16 ફેબ્રુઆરીથી થનારી છે. આમ દિલ્લી ટેસ્ટના બરાબર એક દિવસ અગાઉ ફાઈનલ મેચ શરુ થનારી છે. સૌરાષ્ટ્ર ટીમનો નિયમીત કેપ્ટન જયદેવ ઉનડકટ છે. તેની ટીમ હવે ફાઈનલ સુધી પહોંચી ચુકી છે. જેને લઈ હવે બીસીસીઆઈએ તેને ટીમ ઈન્ડિયાથી રણજી ટ્રોફીમાં ઘરેલુ ટીમનુ સુકાન સંભાળવા માટે રિલીઝ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

પ્રથમ 2 ટેસ્ટ માટેની સ્ક્વોડનો હિસ્સો

ભારતીય ટેસ્ટ સ્ક્વોડનો હિસ્સો રહેલા જયદેવ ઉનડકટને નાગપુર ટેસ્ટની અંતિમ ઈલેવનમાં સ્થાન મળ્યુ નહોતુ. પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય સ્ક્વોડનો જયદેવ હિસ્સો હતો. જેને લઈ લઈ તે નાગપુરમાં સિરીઝની શરુઆત પહેલા શરુ થયેલા અભ્યાસ કેમ્પ દરમિયાનથી ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતો.

બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્લીમાં રમાનાર છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી ટેસ્ટ મેચમાં જયદેવને અંતિમ ઈલેવનમાં હાલની સ્થિતી મુજબ સ્થાન મળવાની સંભાવનાઓ ઓછી હતી. આી સ્થિતીમાં તે બેન્ચ પર બેસવા મજબૂર રહે એનાથી વધારે તે ઘરેલૂ ટીમને મદદગાર નિવડે એ વધારે જરુરી હતુ. આમ બીસીસીઆઈએ તેને રણજી ટ્રોફીની ફાઈનલમાં રમવા માટે તેને ટીમ ઈન્ડિયાથી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">