IND vs SL: કોરોનાકાળમાં આર્થિક નુકસાનીને સરભર કરવા ભારતીય ટીમ માટે શ્રીલંકા પ્રવાસનું આયોજન કરાયું
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) જૂનમાં ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનારી છે. જે સપ્ટેમ્બર મહિના સુધી ઈંગ્લેંડમાં જ રોકાશે. જોકે આ દરમ્યાન જુલાઈ માસ દરમ્યાન ભારતની એક વધુ ટીમ મર્યાદીત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસ (Sri Lanka tour) પર જનારી છે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) જૂનમાં ઈંગ્લેંડ પ્રવાસ (England Tour) પર જનારી છે. જે સપ્ટેમ્બર મહિના સુધી ઈંગ્લેંડમાં જ રોકાશે. જોકે આ દરમ્યાન જુલાઈ માસ દરમ્યાન ભારતની એક વધુ ટીમ મર્યાદીત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસ (Sri Lanka tour) પર જનારી છે.
આમ તો આવુ ખૂબ જ ઓછુ બન્યુ છે કે, એક જ દેશની બે ટીમ બે જુદા જુદા દેશમાં રમી રહી હોય. BCCIએ ઇંગ્લેંડ પ્રવાસ દરમ્યાન જ પોતાની એક ટીમ શ્રીલંકા પ્રવાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. આવો નિર્ણય કેમ કર્યો છે, તેને લઈને પણ હવે બોર્ડ તરફથી નિવેદન સામે આવ્યુ છે.
BCCI કોષાધ્યક્ષ અરુણ કુમાર ધુમલ (Arun Kumar Dhumal)એ કહ્યું હતુ કે પાછળના વર્ષે શ્રીલંકા પ્રવાસ રદ થયો હતો. જેને લઈને થયેલા નુકસાનથી શ્રીલંકા ક્રિકેટને સરભર કરવા માટ ભારતે મર્યાદિત ઓવર માટેની રમતનો પ્રવાસ ખેડવો જરુરી હતો. ભારતે પાછળના વર્ષે જૂન માસમાં જ શ્રીલંકા પ્રવાસ કરવાનો હતો. જોકે કોરોનાને લઈને તેને રદ કરી દેવામાં આવ્યો હતો.
ધૂમલે એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યુ હતુ કે, અમે પાછળના વર્ષે શ્રીલંકા પ્રવાસે જઈ શક્યા નહોતા. એટલા માટે જ અમારે તેની પર કામ કરવાની જરુર હતી. કારણ કે અમારી ટીમે ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેંડ જવાનુ હતુ. એટલે અમે શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની મેત રાખી હતી. આ સમયે દરેક દેશ ઈચ્છે છે કે તે ભારતીય ટીમની યજમાની કરે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ હોય. કારણ કે તેઓ ટીવી રાઈટ્સ દ્વારા કેટલીક રેવન્યુ હાંસલ કરી શકે.
કોરોનાથી થયુ દબાણ
ધૂમલે કહ્યુ હતુ કે કોરોનાને લઈને ક્રિકેટ ખૂબ જ પ્રભાવિત રહી હતી, જેને લઈને અનેક ટુર્નામેન્ટ રદ થઈ હતી. તેમણે કહ્યું, સૌને ખ્યાલ છે કે, પાછળના એક વર્ષ કરતા વધારે સમયથી કોરોનાને લઈને ક્રિકેટ દબાણમાં છે. અનેક એફટીપીને રદ કરવામાં આવ્યા હતા.
જેને લઈને વિશ્વભરના આ પ્રકારના સંઘોને ખૂબ નુકશાન થયુ હતુ. જ્યાં સુધી તમે આવા પ્રવાસ નહીં કરો, ત્યાં સુધી તમે આ નુકશાનની ભરપાઈ નહીં કરી શકો. એવા બોર્ડથી આ ખૂબ મુશ્કેલ હશે કે, આ લોકો આર્થિક સંકટથી બહાર નિકળે.
જલ્દીથી થઈ શકે છે ટીમની ઘોષણા
ઈંગ્લેંડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ મુંબઈમાં એકઠા થવા બાદ પસંદગી સમિતિ શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરોની સિરીઝ માટે ટીમ જાહેર કરી શકે છે. આ ટીમમાં ભારતના કેટલાક યુવા ખેલાડીઓને મોકો મળી શકે છે. ટીમના કેપ્ટન કોને બનાવવામાં આવશે તેને લઈને પણ આકરી સ્પર્ધા ચાલી રહી છે.
આ પણ વાંચો: WTC Final : કોહલી, રહાણે, પંત કોઇ નહી આવે કામ, ન્યૂઝીલેન્ડ સામે બ્રહ્માસ્ત્ર સાબિત થશે રવિન્દ્રસિંહ જાડેજા