ભારતનો દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) પ્રવાસ 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા આ શ્રેણીમાં કયા ખેલાડીઓને રમવાની તક મળશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. સમાચાર અનુસાર ભારતીય ટેસ્ટ ટીમ (Indian Cricket Team) ની જાહેરાત બુધવારે કરવામાં આવશે અને મોટા સમાચાર એ છે કે આ ટીમમાં અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ને જગ્યા મળશે. જોકે, અજિંક્ય રહાણેની વાઈસ કેપ્ટનશિપ અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી.
અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટેની ટીમની જાહેરાત બાદમાં કરવામાં આવશે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી વનડે શ્રેણી રમશે અને એવા અહેવાલો છે કે કેપ્ટનશીપની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ને આપવામાં આવી શકે છે.
મોટા સમાચાર એ છે કે રહાણેને ટીમમાં સ્થાન મળશે પરંતુ તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં રહેવું મુશ્કેલ છે. રહાણે છેલ્લી 12 મેચોમાં સતત નિષ્ફળ રહ્યો હતો અને મુંબઈ ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, જોકે તેનું કારણ ઈજા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો રહાણેને વાઈસ કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવે છે તો આ જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી શકે છે.
જો કે, ટીમ ઈન્ડિયાના અન્ય એક સિનિયર ખેલાડી ઈશાંત શર્માને પણ ટેસ્ટ ટીમમાંથી કટ કરવામાં આવી શકે છે. ઈશાંત શર્મા ફિટ નથી અને તેનું ફોર્મ પણ ખરાબ છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા આવેશ ખાન બોલરમાંથી કોઈ એકને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટીમમાં જગ્યા મળી શકે છે.
પીટીઆઈના સમાચાર મુજબ શ્રેયસ અય્યર અને શુભમન ગિલ બંનેને ટીમમાં જગ્યા મળશે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા-A સામે બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમી રહેલા હનુમા વિહારી પણ ટીમમાં વાપસી કરશે. ઉપરાંત, પ્રિયંક પંચાલ અને અભિમન્યુ ઇશ્વરનમાંથી એક ચેતેશ્વર પૂજારાના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે.
વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, ઋષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, ઉમેશ, યાદવ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, આવેશ ખાન/દીપક ચાહર, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, હનુમા વિહારી, અભિમન્યુ ઇશ્વરન/પ્રિયાંક પંચાલ અને જયંત યાદવ.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ને કારણે 4 મેચની T20 સિરીઝ સ્થગિત કરવામાં આવી છે.
Published On - 9:22 am, Wed, 8 December 21