ન્યુઝીલેન્ડે બીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી. મેચના ત્રીજા દિવસે ભારતને 113 રને હરાવીને સિરીઝ 2-0થી કબજે કરી હતી. ટીમ ઈન્ડિયાને હારતી જોઈને વિરાટ કોહલી પણ પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં. મેચ દરમિયાન તે બેકાબૂ બની ગયો અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
વાસ્તવમાં, મેચના ત્રીજા દિવસે, કોહલીએ તેનું સંયમ પાછું મેળવ્યું હતું અને તે એકદમ નિયંત્રણમાં દેખાતો હતો. પરંતુ તે કમનસીબે આઉટ થયો હતો. તે આઉટ થતાની સાથે જ અડધી ભારતીય ટીમ પેવેલિયનમાં પહોંચી ગઈ હતી. આનાથી તેને હારનો અહેસાસ થયો. તે અમ્પાયરના નિર્ણયથી પણ ખુશ નહોતો, જેના કારણે તેણે ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે વોટર બોક્સ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
359 રનનો પીછો કરતી વખતે રોહિત શર્મા વહેલો આઉટ થયો હતો. તેના પછી યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સારી બેટિંગ કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ ભારતે સતત વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું હતું. 147ના સ્કોર પર 4 બેટ્સમેનો પેવેલિયન ગયા હતા. આવી સ્થિતિમાં 40 બોલમાં 17 રન બનાવ્યા બાદ કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી પરંતુ તે અમ્પાયરના નિર્ણયનો કોહલી શિકાર બન્યો હતો. કોહલી તેની વિકેટ પર વિશ્વાસ કરી શક્યો નહીં. રિવ્યુ લીધો પરંતુ રિવ્યુમાં અમ્પાયર્સ કોલ આવતા કોહલી આઉટ થયો હતો. આનાથી ગુસ્સે થઈને કોહલીએ પરત ફરતી વખતે પોતાના બેટથી બાઉન્ડ્રીની બહાર રાખવામાં આવેલા વોટર બોક્સ પર બેટ માર્યું હતું.
What hurts you more?
World Cup Final Loss in 2023
Series Loss after 12 Years at Home pic.twitter.com/5QdSqPQvvG— Cricketopia (@CricketopiaCom) October 26, 2024
વિરાટ કોહલીના આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 147 રન થઈ ગયો હતો અને કોહલીને હારનો અહેસાસ થવા લાગ્યો હતો. જેથી તેણે ગુસ્સામાં આવી પ્રતિક્રિયા આપી હતી. છેલ્લા 69 વર્ષમાં પહેલીવાર ન્યુઝીલેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતી છે. 12 વર્ષ અને 18 શ્રેણી પછી ટીમ ઈન્ડિયાને ઘરેલું ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટની કપ્તાનીમાં ભારતીય ટીમે એકપણ શ્રેણીને હારી ન હતી. એવામાં સ્વાભાવિક છે કે તે આ હારથી દુઃખી હતો.
આ પણ વાંચો: IND vs NZ : ન્યુઝીલેન્ડ સામે હાર બાદ રોહિત શર્માનું મોટું નિવેદન, જાણો હાર માટે કોને જવાબદાર ઠેરવ્યા?
Published On - 8:17 pm, Sat, 26 October 24