IND vs IRE: પ્લેયર ઓફ સિરીઝ બન્યા બાદ બુમરાહનું ટીમ ઈન્ડિયાની કપ્તાનીને લઈ મોટું નિવેદન

આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં જસપ્રીત બુમરાહે 4.87ની ઇકોનોમી સાથે 4 વિકેટ લીધી હતી. તે સૌથી સફળ બોલર હતો, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ થયા બાદ બુમરાહે મોટું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન ટીમની કેપ્ટનશિપ સાથે જોડાયેલું છે.

IND vs IRE: પ્લેયર ઓફ સિરીઝ બન્યા બાદ  બુમરાહનું ટીમ ઈન્ડિયાની કપ્તાનીને લઈ મોટું નિવેદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 12:22 PM

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચેની T20 સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે. છેલ્લી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી પરંતુ ટીમ ઈન્ડિયા 2-0થી શ્રેણી કબજે કરવામાં સફળ રહી હતી. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની કપ્તાનીમાં ભારતની આ પ્રથમ T20 શ્રેણી જીત છે. સુકાની તરીકે બુમરાહની આ પ્રથમ T20 શ્રેણી પણ હતી, જેમાં તે પોતે પણ પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે ચૂંટાયો હતો, સાથે જ ભારતની જીતના સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો. પરંતુ, ત્યારપછી બુમરાહના એક નિવેદને ખૂબ ચર્ચા જગાવી છે.

બુમરાહે આયર્લેન્ડ સામે 2 મેચમાં 4 વિકેટ લીધી

જો કે, આ પહેલીવાર નથી જ્યારે બુમરાહે આવું કહ્યું હોય. પરંતુ હવે તેણે ફરી પોતાની વાત દોહરાવી છે. આયર્લેન્ડ વિરૂદ્ધ T20માં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા બાદ બુમરાહે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અંગે વાત કરી છે. તેણે કહ્યું છે કે ટીમ ઈન્ડિયામાં દરેક વ્યક્તિ કેપ્ટન બનવા માંગે છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

દરેક વ્યક્તિ ટીમની કેપ્ટનશીપ ઈચ્છે છે – બુમરાહ

બુમરાહના મતે ટીમનું નેતૃત્વ કરવું હંમેશા સન્માનની વાત છે. આ માટે દરેક ખેલાડી તલપાપડ અને તૈયાર છે. જ્યારે પણ ટીમમાં કોઈને આવી તક મળે છે, તે તેને છોડવા માંગતો નથી. સ્પષ્ટ છે કે બુમરાહે ફરીથી આ નિવેદનનું પુનરાવર્તન કરીને પસંદગીકારોનું ધ્યાન દોર્યું છે કે તે પણ કેપ્ટનશિપની રેસમાં છે. તમને જણાવી દઈએ કે એશિયા કપની ટીમ સિલેક્શન પહેલા આ ચર્ચા પણ ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યાની જગ્યાએ બુમરાહને કેપ્ટન રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Viral: ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતશે, કેપ્ટન રોહિત શર્માનો દાવો, જુઓ Video

બુમરાહ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

બુમરાહના પ્લેયર ઓફ ધ સીરિઝ જીતવા પાછળના ત્રણ કારણો જવાબદાર છે જેમાં પહેલું એ કે તેની T20 કેપ્ટનશીપની શરૂઆતમાં ભારતે શ્રેણી જીતી હતી. બીજું, આ શ્રેણીમાં રમી રહેલા અન્ય તમામ બોલરો કરતાં તેની એવરેજ સારી હતી. T20 સીરિઝમાં બુમરાહની ઈકોનોમી 4.87 હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે તેની પસંદગીનું ત્રીજું કારણ એ હતું કે તે બોલિંગમાં 1 ઓવર મેડન ફેંકી 4 વિકેટ લેનાર એકમાત્ર બોલર બન્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">