IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને સમેટવા માટે રવિન્દ્ર જાડેજા પર રહેશે નજર, મહત્વની ભૂમિકા ભજવવાની ટીમની આશા

|

Sep 06, 2021 | 5:53 PM

ટીમ ઈન્ડીયા (Team India)એ ઈંગ્લેન્ડની સામે જીત માટે 368 રનનું લક્ષ્ય રાખ્યુ છે. આમ પણ ઓવલના મેદાનમાં આજ સુધી વિશાળ સ્કોર ચેઝ થઈ શક્યો નથી. પરંતુ ક્રિકેટને અનિશ્વિતતાઓની રમત માનવામાં આવે છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને સમેટવા માટે રવિન્દ્ર જાડેજા પર રહેશે નજર, મહત્વની ભૂમિકા ભજવવાની ટીમની આશા
Ravindra Jadeja

Follow us on

ઓવલ ટેસ્ટ (Oval Test) મેચની આજે અંતિમ અને નિર્ણાયક દિવસની રમત રમાઈ રહી છે. ટીમ ઈન્ડીયા (Team India) ઈંગ્લેન્ડના સામે જીત માટે 368 રનનું લક્ષ્ય છે. આમ તો ઓવલ પર આવડુ મોટુ લક્ષ્ય ક્યારેય ચેઝ થઇ શક્યુ નથી. જોકે ક્રિકેટ અનિશ્વિતતાઓની રમત રહી છે. અહી ક્યારેય કંઈ પણ થઈ શકે છે અને જો નથી પણ કરી શકતા તો પણ ટીમ ઈન્ડીયાએ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને સમેટવુ જરુરી છે. આ માટે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ભૂમિકા પર સૌની નજર રહી શકે છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અંતિમ દિવસની રમત અગાઉ બેટીંગ કોચ વિક્રમ રાઠોડે (Vikram Rathaur) કહ્યું હતુ કે ઈંગ્લેન્ડને ઓલ આઉટ કરવામાં મોટુ કામ રવિન્દ્ર જાડેજા કરી શકે છે. તેમના મતે પાંચમાં દિવસે જાડેજાની બોલનો જાદુ અમારા માટે ખૂબ જ નિર્ણાયક રોલ પ્લે કરી શકે છે. તેઓએ કહ્યું હતુ કે જાડેજા અમારા માટે મહત્વનો રોલ પ્લે કરી શકે છે. તેણે ચોથા દિવસના અંતમાં પણ 4-5 ઓવરમાં બોલીંગ કરીને કંટ્રોલમાં જોવા મળી રહ્યો હતો. આ માટે જ જો તેને કિસ્મતનો સાથ મળ્યો તો તે મોકાને વિકેટના રુપમં ફેરવી શકે છે.

 

 

ઓવલમાં રન ચેઝની રમત

ઓવલમાં આજ સુધીમાં સૌથી મોટો સ્કોર 263 રનનો ચેઝ થઈ શક્યો છે. ઈંગ્લેન્ડની ટીમે આ ટાર્ગેટ ઓસ્ટ્રેલીયા સામે 1902માં ચેઝ કર્યુ હતુ. વર્ષ 2010માં પાકિસ્તાને અહીં 148 રનનું ટાર્ગેટ ચેઝ કર્યુ હતુ. ઓવલમાં પાછળની બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 399 રનનો પીછો કરતા 263 રન પર ઓલઆઉટ થઈ હતી. જ્યારે ટીમ ઈન્ડીયા 464 રનના ટાર્ગેટ સામે 345 રન પર જ રોકાઈ ગઈ હતી. આવામાં ઈંગ્લેન્ડના માટે પણ હવે રન ચેઝનું કામ મુશ્કેલ લાગી રહ્યું છે. જોકે મેચ ડ્રો ના થઈ જાય એ માટે ભારતે ઈંગ્લેન્ડને ઓલ આઉટ કરવુ પડશે.

 

 

368 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે પાંચમાં દિવસની રમતની શરુઆત વગર વિકેટે 77 રનથી કરી હતી. પાંચમાં દિવસે 291 રનની જીત માટે જરુર છે. આમ મોટા ટાર્ગેટને પાર પાડવા માટે જે પ્રમાણેની શરુઆતની જરુર હતી, એ જ શરુઆત બંને ઓપનરોએ કરાવી હતી. જોકે પાંચમાં દિવસની શરુઆતે 23 રન સ્કોર બોર્ડમાં ઉમેરીને ઓપનર જોડી તુટી ગઈ હતી.

 

આ પણ વાંચોઃ IND vs ENG: કોરોના સંક્રમિત રવિ શાસ્ત્રી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર, ટીમ ઈન્ડીયાથી રહેવુ પડશે દુર

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

Published On - 5:52 pm, Mon, 6 September 21

Next Article