IND vs ENG: આગામી વર્ષે ટીમ ઇન્ડિયા ફરી ઇંગ્લેંડનો પ્રવાસ ખેડશે, અધૂરી ટેસ્ટ શ્રેણી પૂરી કરાશે

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ (Team India) 2-1થી આગળ હતી, પરંતુ કોરોના ચેપના કેસ બાદ માન્ચેસ્ટરમાં છેલ્લી ટેસ્ટ રદ કરવી પડી હતી.

IND vs ENG: આગામી વર્ષે ટીમ ઇન્ડિયા ફરી ઇંગ્લેંડનો પ્રવાસ ખેડશે, અધૂરી ટેસ્ટ શ્રેણી પૂરી કરાશે
Joe Root-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 6:44 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ગયા મહિને રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સંઘર્ષ અને લગભગ 42 દિવસની ચર્ચાઓ બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રદ થયેલી માન્ચેસ્ટર ટેસ્ટ ફરીથી રમવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હવે આવતા વર્ષે એટલે કે જુલાઈ 2022 માં બર્મિંગહામના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે.

એટલું જ નહીં, ટેસ્ટ શ્રેણીનું પરિણામ પણ આ મેચ બાદ જ નક્કી થશે. પ્રથમ ચાર મેચમાં બે જીત બાદ ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ECB એ શુક્રવાર, 22 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડીને નવા અપડેટ વિશે માહિતી આપી હતી. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટેસ્ટ મેચ રદ્દ થયા બાદથી, ભારતીય બોર્ડ અને ઇંગ્લીશ બોર્ડ વચ્ચે તેના ફરી આયોજન અને શ્રેણીનું પરિણામ નક્કી કરવા અંગે સતત ચર્ચા ચાલી રહી હતી. હવે લગભગ દોઢ મહિનાની રાહ જોયા બાદ તે સહમત થયા છે. ભારતીય ટીમે આવતા વર્ષે વનડે અને T20 શ્રેણી માટે જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે,અને તે પ્રવાસ હવે ટેસ્ટ મેચથી શરૂ થશે. આ મેચ 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન મેદાન પર રમાશે.

ECB એ કરી જાહેરાત

આ મુદ્દે બંને બોર્ડ વચ્ચે કરાર થયા બાદ શુક્રવાર 22 ઓક્ટોબરના રોજ આ નિર્ણય વિશે માહિતી આપી હતી. ECB એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ પુરુષ અને ભારતીય પુરુષ ટીમ વચ્ચે LV ઇન્સ્યોરન્સ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચનું શેડ્યૂલ જે જુલાઈ 2022 માં રમાશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ વચ્ચેની સહમતી બાદ નિર્ણાયક ટેસ્ટ 1 જુલાઈ 2022 થી એજબેસ્ટન (બર્મિંગહામ) ખાતે રમાશે.

ટેસ્ટ મેચના બે કલાક પહેલા મેચ રદ કરવામાં આવી હતી

ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ઓવલ ખાતે ઈંગ્લેન્ડ દ્વારા આયોજીત આ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ભારતીય ટીમે વિજય સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ ટેસ્ટ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો કોરોના સંક્રમણમાં સપડાયા હતા.

આ પછી, છેલ્લી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં શરૂ થવાની હતી. પરંતુ તેના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના જુનિયર ફિઝિયોને પણ ચેપ લાગ્યો હતો. તેના કારણે મેચના દિવસના બે કલાક પહેલા ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્યારથી, બંને બોર્ડ જે ટેસ્ટ અંગે નિર્ણય લેવા માટે બોર્ડ વચ્ચે ચર્ચા કરી રહ્યા હતા. ECB ને ટેસ્ટ મેચ રદ્દ થવાને કારણે મોટું આર્થિક નુકસાન થવાની આશંકા છે. ECB એ આ મુદ્દો ઉકેલવા માટે ICC નો સંપર્ક પણ કર્યો હતો, કારણ કે આ શ્રેણી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ દરમિયાન BCCI એ આગામી વર્ષે ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફરી આ મેચ રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે આ પ્રસ્તાવ પર સંમતિ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ T20 World Cup, Ind vs Pak: કોણ કપાયુ, કોણ સમાયુ ! તમે જ પસંદ કરો તમારી ટીમ, જો તમે કેપ્ટન હોય તો કેવી હોઇ શકે અંતિમ ઇલેવન ?

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિરાટ કોહલી થી ક્યાંય દૂર છે બાબર આઝમ, રનના મામલામાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન છે નંબર-1

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">