IND vs ENG: જસપ્રીત બુમરાહે બતાવ્યુ હારનુ કારણ, એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે દબદબા બાદ ટીમ ઈન્ડિયાનો કેમ થયો પરાજય?

|

Jul 05, 2022 | 9:09 PM

ભારતીય ટીમે (Indian Cricket Team) ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે પછી પણ ટીમે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો અને શ્રેણી જીતવાની ઐતિહાસિક તક ગુમાવી દીધી.

IND vs ENG: જસપ્રીત બુમરાહે બતાવ્યુ હારનુ કારણ, એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે દબદબા બાદ ટીમ ઈન્ડિયાનો કેમ થયો પરાજય?
Jasprit Bumrah એ હાર બાદ બતાવ્યુ કારણ (Photo PTI)

Follow us on

છેલ્લા 10 મહિનાથી જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે મેચ પણ પૂરી થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને તેના ચાહકો જે આશા રાખતા હતા તે રીતે નહીં. ઈંગ્લેન્ડ સામે 2-1 થી આગળ હોવા છતાં ભારતીય ટીમ શ્રેણી જીતવામાં નિષ્ફળ રહી હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી શ્રેણીની છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (England Cricket Team) ના બેટ્સમેનોએ ભારતના બોલરોની બીજી ઈનિંગમાં ખૂબ ધોલાઈ કરી હતી અને 378 રનનો રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કરી અને જીત નોંધાવી. આ રીતે પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને ઐતિહાસિક શરૂઆતની તક મળી શકી નથી. સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર સ્ટાર ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયાની બેટિંગને હારનું કારણ ગણાવ્યું અને કહ્યું કે ભારતે પ્રથમ ત્રણ દિવસનું વર્ચસ્વ સરળતાથી ગુમાવી દીધું.

378નો લક્ષ્યાંક પણ ઓછો પડ્યો હતો

આ મેચના પ્રથમ સેશનમાં ખરાબ શરૂઆત છતાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. ત્યારપછી ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને માત્ર 284 રનમાં સમેટી દીધું અને 132 રનની લીડ મેળવી લીધી. મેચના ચોથા દિવસે જ્યારે બેટિંગ માટે સારી સ્થિતિ હતી ત્યારે ભારતીય બેટિંગ તેનો ફાયદો ઉઠાવી શકી ન હતી અને માત્ર 245 રન જ બનાવી શકી હતી. આમ છતાં ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે કોઈપણ મુશ્કેલી વિના હાંસલ કરી લીધો હતો. તેના માટે જો રૂટ અને જોની બેયરિસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી.

બીજા દાવની બેટિંગ પર દોષ

આટલો મોટો ટાર્ગેટ આપવા છતાં ટીમની આ હારે બધાને નિરાશ કર્યા કારણ કે ટીમ પાસેથી આવા પ્રદર્શનની અપેક્ષા નહોતી. પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહેલા બુમરાહને પણ જીત સાથે ખાતું ખોલવાની તક મળી ન હતી. મેચ બાદ બુમરાહે ટીમની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

બુમરાહે કહ્યું, ટેસ્ટ ક્રિકેટની સુંદરતા એ છે કે તે ત્રણ દિવસ સારું રમ્યા પછી પણ શક્ય બને છે. અમે ગઈકાલે સારી બેટિંગ કરી શક્યા ન હતા અને ત્યાંથી મેચ અમારા હાથમાંથી નીકળી ગઈ હતી. જો અને તો એ હંમેશા રહેવાનુ જ છે. પ્રથમ મેચ (સિરીઝની) માં વરસાદ ન પડ્યો હોત તો અમે શ્રેણી જીતી શક્યા હોત. પરંતુ ઈંગ્લેન્ડ ખૂબ સારું રમ્યું.

પંત અને જાડેજાએ પુનરાગમન કર્યું હતું

ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દિવસે પ્રથમ સત્રની રમત હોવા છતાં ટીમને પોતાની ઇનિંગથી મેચમાં જાળવી રાખી હતી અને સુકાની બુમરાહ તેમના વખાણ કરવામાં નિષ્ફળ રહ્યો ન હતો. સુકાનીએ કહ્યું, “પંત અને જાડેજાએ વળતો હુમલો કરીને અમને મેચમાં પાછા લાવ્યા હતા. અમે મેચમાં દબાણ બનાવ્યું હતું.

પોતાની કેપ્ટનશિપ પર આ વાત કહી

જ્યાં સુધી સુકાનીની વાત છે, બુમરાહ પ્રથમ વખત કોઈ પણ સ્તરે લીડ કરી રહ્યો હતો અને તેને સીધી ટેસ્ટ ક્રિકેટમાં આ તક મળી. ટીમની હાર છતાં બુમરાહે કહ્યું કે તે તેના માટે સારો અનુભવ હતો. બુમરાહે કહ્યું, મેં આ નક્કી કર્યું ન હતું. મને જવાબદારીઓ ગમે છે. તે એક સારો પડકાર હતો અને ટીમની કેપ્ટનશીપ કરવી એ ગર્વની વાત અને મહાન અનુભવ છે.

Published On - 9:08 pm, Tue, 5 July 22

Next Article