IND vs AUS: ઓસ્ટ્રેલિયન PM ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા, વિરાટ-રોહિત-બુમરાહ સાથે કરી વાતચીત

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે કેનબેરા પહોંચી ગઈ છે જ્યાં તેમને 30 નવેમ્બરથી પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે 2 દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝને મળ્યા હતા.

IND vs AUS: ઓસ્ટ્રેલિયન PM ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા, વિરાટ-રોહિત-બુમરાહ સાથે કરી વાતચીત
Australian PM Anthony Albanese with team india
Image Credit source: PTI
| Updated on: Nov 28, 2024 | 4:55 PM

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને પ્રથમ મેચમાં શાનદાર જીત મળી હતી. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટ જીતીને ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ હવે આગામી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમવાની છે, પરંતુ તે પહેલા આ મેચની તૈયારી માટે આ ટીમ 30 નવેમ્બરથી બે દિવસીય વોર્મ-અપ મેચ રમશે. આ મેચ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે થશે. જો કે, આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળ્યા હતા. કેનબેરામાં યોજાયેલી આ મીટિંગમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને જોઈને તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.

ઓસ્ટ્રેલિયાના પીએમ ટીમ ઈન્ડિયાને મળ્યા

એન્થોની અલ્બેનીઝ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ખૂબ જ પ્રેમથી મળ્યા હતા. તેણે જસપ્રીત બુમરાહની બોલિંગના વખાણ કર્યા હતા અને થોડો સમય વિરાટ કોહલી સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા તેમનો પરિચય ટીમના તમામ ખેલાડીઓ સાથે કરાવી રહ્યો હતો. આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા બધા ઓસ્ટ્રેલિયાના પીએમને મળ્યા હતા. એન્થોની અલ્બેનીઝ છેલ્લા બે વર્ષથી ઓસ્ટ્રેલિયાના પીએમ છે અને ભારત સાથે પણ તેમનો ખાસ સંબંધ છે.

 

એન્થોની અલ્બેનીઝ પીએમ મોદીના સારા મિત્ર

એન્થોની અલ્બેનીઝ પીએમ મોદીના સારા મિત્ર છે. તેઓ પીએમ બન્યા બાદ ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. એન્થોની અલ્બેનીઝની વાત કરીએ તો તેનો દિલ્હીના અક્ષરધામ મંદિર સાથે પણ ખાસ સંબંધ છે. હકીકતમાં, વર્ષ 2018માં, જ્યારે એન્થોની અલ્બેનીઝ પીએમ ન હતા, ત્યારે તેઓ ભારત આવ્યા હતા. તેમણે 30 વર્ષ પછી રાજધાની દિલ્હીમાં પગ મૂક્યો. એન્થોનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ સુરક્ષા વિના એકલા અક્ષરધામ ગયા હતા. તેમણે દિલ્હી મેટ્રોથી અક્ષરધામ મંદિર સુધીની સફર કરી હતી. એન્થોની અક્ષરધામ મંદિરને જોઈને તેના ફેન બની ગયા અને ત્યાંના લોકોએ તેમના ખૂબ વખાણ કર્યા. તેમના મતે, ભારતીય લોકો ઘણું સન્માન આપે છે જે એન્થોનીને ખૂબ ગમ્યું.

આ પણ વાંચો: IPL 2025માં અર્શદીપ સિંહનો એક બોલ ફેંકવાના લાખો રુપિયા લેશે, આટલામાં તો એક કાર આવી જાય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:03 pm, Thu, 28 November 24