AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઇને જસપ્રીત બુમરાહનું મહત્વનું નિવેદન

જસપ્રીત બુમરાહે કહ્યું કોઇ પણ ખેલાડી માટે આ આંકડા સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલી માટે પણ આ એક મોટો દિવસ છે.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઇને જસપ્રીત બુમરાહનું મહત્વનું નિવેદન
Virat Kohli (PC: ICC)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:51 PM
Share

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) ટીમ સામે મોહાલીમાં 4 માર્ચથી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ (Team India) ના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની આ 100મી ટેસ્ટ મેચ રહેશે. કોઇ પણ ખેલાડી માટે આ આંકડા સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલી માટે પણ આ એક મોટો દિવસ છે. ભારતીય ટીમનો ઉપ સુકાની અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ વિરાટ કોહલીની 100 ટેસ્ટ મેચને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

જસપ્રીત બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોઇ પણ ખેલાડી માટે 100 મી ટેસ્ટ મેચ રમવી હંમેશા એક વિશેષ ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલીએ આ ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે અને આગળ પણ આપતા રહેશે. તેની અત્યાર સુધીની સિદ્ધિમાં વધુ એક સિદ્ધી ઉમેરાઇ છે અને હું કોહલીને શુભેચ્છા આપું છું. આ તેની સખત મહેનતનું પરીણામ છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આગળ કહ્યું કે અત્યારે અમે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચને લઇને ખાસ તૈયારીઓ કરી રહ્યા છીએ. વિરાટ કોહલી માટે આ એક મોટી મેચ છે. સ્ટેડિયમમાં દર્શકો હાજર હોત તો ઘણી સારી બાબત કહી શકાત. પણ કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. અમે નિયમ બનાવી શકતા નથી.

મહત્વનું છે કે મોહાલી ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી નથી. દર્શકો વગર બંધ દરવાજામાં મેચ રમાશે. એવામાં તમામ ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકો નિરાશ જરૂર થયા છે. સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ચાહકો સતત માંગ કરી રહ્યા છે કે વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવામાં આવે. જોકે બેંગ્લોરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં દર્શકોને આવવાની પરવાનગી છે. તેવામાં દર્શકોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકા સામેની ભારતની ટેસ્ટ ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

આ પણ વાંચો : વિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને સાસુને જામનગર કોર્ટનું વોરંટ

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">