T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા

T20 વર્લ્ડ કપ 2026 માં સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે. હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ થયો હતો. T20 વર્લ્ડ કપ 2026 માં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ભારતીય ખેલાડીએ પ્રેક્ટિસ સેશન દરમિયાન સાથી ખેલાડીને ઈજા પહોંચાડી હોય. આ પહેલા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ઘાતક યોર્કરથી ઈશાન કિશન ઘાયલ થયો હતો.

T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા
Team India
Image Credit source: X
| Updated on: Feb 20, 2026 | 11:16 PM

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 રાઉન્ડની મેચ પહેલા પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા બાદ, ભારતીય ટીમે એક દિવસનો વિરામ લીધો. આ વિરામ બાદ ટીમ ઈન્ડિયાએ શુક્રવારે પહેલીવાર પ્રેક્ટિસ કરી. આ સેશન દરમિયાન બધાની નજર અભિષેક શર્મા પર હતી, પરંતુ ધ્યાન સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર ગયું. આ હાર્દિક પંડ્યાના કારણે થયું, જેનો શોટ સિરાજને વાગ્યો અને તે ઘાયલ થયો.

હાર્દિકના શોટથી સિરાજના ઘૂંટણમાં ઈજા

સુપર 8 મેચના બે દિવસ પહેલા, 20 ફેબ્રુઆરીના રોજ, ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે ભારતીય બેટ્સમેન નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે હાર્દિક પંડ્યાએ એક પાવરફુલ શોટ માર્યો. આ શોટ એટલો જોરદાર હતો કે તે સીધો ઝડપી બોલર સિરાજના ઘૂંટણ પર વાગ્યો. સિરાજ પીડાથી કણસવા લાગ્યો અને મેદાન પર બેસી ગયો. આ જોઈને, હાર્દિક સહિત અન્ય ખેલાડીઓ તરત જ તેની પાસે દોડી ગયા.

 

સિરાજની ઈજા ગંભીર નથી

સિરાજને દુખાવામાં જોઈને ટીમ ઈન્ડિયાનો મેડિકલ સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચ્યો અને તેની તપાસ શરૂ કરી. ફિઝિયોએ સિરાજના ઘૂંટણ પર બરફ લગાવ્યો અને થોડીવાર તેની તપાસ કરી. રાહતની વાત એ હતી કે સિરાજની ઈજા ગંભીર નહોતી, અને તે ઝડપથી ઊઠી શક્યો. આ પહેલી ઘટના નથી કે ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન સાથી ખેલાડી દ્વારા ઈજા થઈ હોય. થોડા દિવસો પહેલા જ, જસપ્રીત બુમરાહના ઝડપી બોલથી ઈશાન કિશનને પગમાં ઈજા થઈ હતી. જોકે, થોડી રાહત એ પણ હતી કે ઈજા ગંભીર નહોતી.

સિરાજે કરી પ્રેક્ટિસ

જ્યાં સુધી સિરાજની ઈજાનો સવાલ છે તો સિરાજ થોડા સમય બાદ ફરી પ્રેક્ટિસમાં જોડાયો હતો, પરંતુ તે પ્રેક્ટિસમાં અસ્વસ્થતા દેખાતો હતો. જોકે, સિરાજની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય રહેશે નહીં, કારણ કે તે પહેલી પસંદગીની પ્લેઈંગ ઈલેવનમાં નથી. દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા બે ઝડપી બોલરો જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને મેદાનમાં ઉતારશે. અર્શદીપ સિંહની જગ્યાએ કોઈ સ્પિનરને તક મળી શકે છે.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

Follow Us
Loading...
Unable to load recommendations.