AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishabh Pant: રિષભ પંતને લઈને સારા સમાચાર, આ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી

રિષભ પંત હાલ NCAમાં કમબેક માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે અને ઝડપી રિકવર પર થઈ રહ્યો છે. તે જલ્દી ભારતીય ટીમમાં ફરી કમબેક કમવા માટે તૈયાર થઈ જશે.

Rishabh Pant: રિષભ પંતને લઈને સારા સમાચાર, આ સિરીઝથી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી
Rishabh Pant
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 10:36 AM
Share

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant) હાલમાં રિહેબમાં છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ રોડ અકસ્માતમાં તે ઘાયલ થયો હતો. હવે તે પોતાની ફિટનેસ મેળવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India)માં આ વિકેટકીપર બેટ્સમેનના પુનરાગમનને લઈને મોટા સમાચાર આવ્યા છે.

પંતની વાપસીને લઈ અપડેટ

રિષભ પંત ક્યારે વાપસી કરશે? તે ક્યારે મેદાન પર ઉતરશે અને લાંબી સિક્સર ફટકારશે? આ એક એવો સવાલ છે જે કરોડો ક્રિકેટ ચાહકોના મનમાં છે. તમને જણાવી દઈએ કે પંતની વાપસીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિષભ પંત માટે આ વર્ષે વાપસી કરવી મુશ્કેલ છે, પરંતુ તે આવતા વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.

NCAમાં પંતની ફાસ્ટ રિકવરી

NCA તરફથી મળેલા અહેવાલો અનુસાર, રિષભ પંતે હવે પહેલાની જેમ બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેણે 140 કિલોમીટર/કલાકની ઝડની બોલિંગનો સમનો કરવાનું શરૂ કર્યું છે. બેટ્સમેન આવા ઝડપી બોલ ત્યારે જ રમી શકે છે જ્યારે તેના પગ અને પીઠનો ભાગ યોગ્ય રીતે કામ કરતા હોય અને સારી વાત એ છે કે પંત હવે યોગ્ય ફાસ્ટ બોલિંગનો સામનો કરી રહ્યો છે.

પંત જાન્યુઆરી 2024માં પુનરાગમન કરશે

જોકે, BCCI પંતની વાપસીની ઉતાવળ કરવા માંગતી નથી. તે પંતને સાજા થવાનો મહત્તમ સમય આપવા માંગે છે. આ જ કારણ છે કે પંત આ વર્ષે મેદાનમાં પરત નહીં ફરે. અહેવાલો અનુસાર, BCCIએ એક યોજના બનાવી છે કે આવતા વર્ષે ઇંગ્લેન્ડની ટેસ્ટ શ્રેણીથી રિષભ પંતને ટીમમાં વાપસી કરવાની તક આપવામાં આવી શકે છે. જો બધુ બરાબર રહ્યું તો પંત જાન્યુઆરી 2024માં પુનરાગમન કરી શકે છે.

આ પણ વાંચો : VIDEO: એશિયા કપમાં સાપનો ખતરો, ખેલાડીઓની સુરક્ષા અંગે સવાલ વચ્ચે શ્રીલંકા કેવી રીતે કરશે આયોજન?

કાર અકસ્માત બાદ ટીમથી બહાર

રિષભ પંત 30 ડિસેમ્બર 2022ના રોજ ગમખ્વાર રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. કોઈક રીતે તેનો જીવ બચી ગયો અને મુંબઈમાં તેની સર્જરી કરવામાં આવી હતી. સારી વાર એ છે કે તે હવે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">