AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાહિરુ થિરિમાનેએ શ્રીલંકાને એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Sri Lanka: 7 વર્ષ અને 10 મહિના પછી સદી ફટકારનાર શ્રીલંકાના પૂર્વ કપ્તાને લીધી નિવૃત્તિ
Lahiru Thirimanne
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:50 PM
Share

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને (Lahiru Thirimanne) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. લાહિરુએ શનિવારે પોતાની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે દેશ માટે રમવું તેના માટે સન્માનની વાત છે. આ રમતે તેને ઘણું આપ્યું છે.

લાહિરુ થિરિમાનેએ લીધી નિવૃત્તિ

લાહિરુએ કહ્યું કે તેના માટે નિવૃત્તિનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. એક ખેલાડી તરીકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય લેવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ કયા કારણોથી નિવૃત્તિ લઈ રહ્યો છે તે વિશે અહીં કહી શકતો નથી.

Why didnt the super over between India and Bangladesh take place despite the match being tied

Lahiru Thirimanne

લાહિરુની કારકિર્દી

લાહિરુની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 2010માં ભારત સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 44 ટેસ્ટમાં 3 સદી અને 10 અડધી સદી સહિત 2088 રન બનાવ્યા છે, જ્યારે વનડેમાં 3194 રન બનાવ્યા છે જેમાં 4 વનડે અને 21 અડધી સદી ફટકારી છે, આ સિવાય 26 T20 મેચમાં 291 રન બનાવ્યા હતા.

7 વર્ષ બાદ ફરકારી હતી સદી

લાહિરુએ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેણે 2013માં ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. મેડન ટેસ્ટ સદી બાદ તે 7 વર્ષ 10 મહિના સુધી એકપણ સદી ફટકારી શક્યો ન હતો. 2021માં તેની બીજી ટેસ્ટ સદી તેના બેટમાંથી નીકળી હતી. લાહિરુ 2014માં T20 વર્લ્ડ કપ અને એશિયા કપ 2014 જીતનાર શ્રીલંકાની ટીમનો પણ ભાગ હતો. એશિયા કપમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.

આ પણ વાંચો : IND vs WI: આંખોમાં આંસુ, ગળે લગાડીને કર્યું ચુંબન, વેસ્ટ ઈન્ડિઝમાં વિરાટ કોહલીને મળ્યો માતાનો પ્રેમ, જુઓ Video

એશિયન ગેમ્સમાં શ્રીલંકાની કરી હતી કપ્તાની

લાહિરુએ 2014ની એશિયન ગેમ્સમાં શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ કરી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. વરસ 2019માં, જ્યારે શ્રીલંકાના નિયમિત ODI અને T20 કેપ્ટન સહિત 10 ખેલાડીઓએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યો, ત્યારે લાહિરુને કેપ્ટન તરીકે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો, જો કે શ્રીલંકા તે વનડે શ્રેણી 0-2થી હારી ગયું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">