ઈજાના કારણે પ્રથમ વનડે નહીં રમી શકનાર વિરાટ કોહલી (Virat Kohli) માટે ટીમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વિરાટ કોહલી ત્રીજી T20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે જંઘામૂળની (Groin Injury) ઈજાને કારણે વિરાટ પ્રથમ ODI માં ટીમનો ભાગ નહીં હોય.
તેની જગ્યાએ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને ટીમમાં સ્થાન મળ્યું છે. હવે વિરાટ કોહલી વિશે અપડેટ આવી રહ્યું છે કે તેની ઈજા હજુ સુધી ઠીક થઈ નથી અને તે બીજી વનડે પણ રમી શકશે નહીં. ANI સૂત્રોના હવાલાથી બીસીસીઆઈ (BCCI) માં આ માહિતી શેર કરવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ હજુ સુધી સ્વસ્થ થઈ શક્યો નથી અને ગુરુવારે યોજાનારી બીજી વનડેમાં તે ટીમનો ભાગ નહીં હોય.
મેચની વાત કરીએ તો પ્રથમ વન-ડે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને એકતરફી મેચમાં 10 વિકેટથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી છે. ભારતના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીએ તેમના નિર્ણયને સાચો સાબિત કર્યો અને ઈંગ્લેન્ડની ટીમને 110 રનમાં આઉટ કરી દીધું હતું.
Virat Kohli yet to recover from groin injury, likely to miss 2nd ODI against England
Read @ANI Story | https://t.co/jDKKABl4g9#ViratKohli #INDvsENG #ODI pic.twitter.com/kDQSveWLtg
— ANI Digital (@ani_digital) July 12, 2022
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ (Team India) એ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 10 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ 76 રન બનાવ્યા હતા. જ્યારે શિખર ધવને 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંનેએ 18મી વખત 100થી વધુ રનની ભાગીદારી કરી હતી.
જસપ્રીત બુમરાહે આ મેચમાં પોતાની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 19 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ શમીએ આ મેચમાં 3 વિકેટ ઝડપી હતી અને તેની ODI કરિયરની 150 વિકેટ પૂરી કરી હતી. શ્રેણીની બીજી મેચ ગુરુવારે લોર્ડ્સમાં રમાશે.