
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ રમાવાની છે. ત્યારે ચાહકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોચશે. મેચ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે. તેમજ અનેક કેટેગરીમાં વિજેતા ખેલાડીઓને પણ ઈનામ આપવામાં આવશે. ત્યારે તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2026ની ફાઈનલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વૈભવ સૂર્યવંશીનું નામ ગુંજશે. તો ચાલો જાણીએ કેમ
IPL 2026 સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સીઝનમાં રનનો વરસાદ થયો અને ઘણા બેટ્સમેનો ચર્ચામાં રહ્યા છે. જો કોઈ એક ચહેરો સૌથી વધુ ધ્યાન ખેંચતો હોય, તો તે રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હતો. 15 વર્ષની ઉંમરે, વૈભવે તેની રમતથી વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓને પ્રભાવિત કર્યા છે, જેના કારણે તે રાષ્ટ્રીય ટીમમાં ડેબ્યૂને લાયક છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે. વૈભવે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, હાલમાં તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
તો હવે તમે કહેશો કે, મેચ ગુજરાત અને બેંગ્લુરુ વચ્ચે છે તો. રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશીનું નામ કેમ ગુંજશે. તો તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીએ તાબડતોડ ઈનિગ્સ રમી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવી છે. તેમણે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી અનેક વિશ્વ રેકોર્ડ તોડ્યા છે. જેમાં સૌથી જલ્દી 1000 રન પુરા કરવાનો રેકોર્ડ પણ સામેલ છે. એલિમિનેટર મેચ પછી આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર વૈભવ સૂર્યવંશી છે. જેની પાસે ઓરેન્જ કેપ છે. વૈભવ સૂર્યવંશીએ 16 ઈનિગ્સમાં 776 રન પુરા કર્યા છે. જેમાં 1 સદી અને 4 અડધી સદી સામેલ છે.ઓરેન્જ કેપના લિસ્ટમાં વૈભવ સૂર્યવંશીનું નામ પહેલા સ્થાને છે. વૈભવ સૂર્યવંશીએ 16 મેચમાં 776 રન બનાવ્યા છે.
બીજા સ્થાને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન શુભમન ગિલ છે. જેમણે 15 મેચમાં 722 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને સાંઈ સુદર્શન છે. જેમણે 16 મેચમાં 710 રન બનાવ્યા છે.વિરાટ કોહલી ટોપ 5માં પણ નથી. જો આજે ગિલ અને સાંઈ સુદર્શન મોટો સ્કોર બનાવવામાં સફળ ર નહી થાય તો ઓરેન્જ કેપ વૈભવ સૂર્યવંશીના માથા પર સજશે.