Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરી છે. તેણે ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં પરિવારજનો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Breaking News: કુલદીપ યાદવે વંશિકા સાથે લીધા સાત ફેરા, લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
kuldeep yadav wedding
Image Credit source: X/INSTAGRAM
| Updated on: Mar 14, 2026 | 10:23 PM

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવે શનિવારે મસૂરીમાં તેની ફિયાન્સે વંશિકા સાથે સાત ફેરા લીધા. આ ભવ્ય લગ્ન સમારોહ મસૂરીની ફેમસ સેવોય હોટેલમાં યોજાયો હતો. કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા આ શાહી લગ્નમાં પરિવારના સભ્યો, મિત્રો અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

કુલદીપ-વંશિકાના લગ્ન

લગ્ન પહેલા શુક્રવાર, 13 માર્ચે હલ્દી અને મહેંદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને પરિવારોના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. હલ્દી અને મહેંદીના કાર્યક્રમમાં ખુશીના માહોલ વચ્ચે સંગીત અને નૃત્યનો આનંદ પણ માણવામાં આવ્યો હતો.

 

કુલદીપ યાદવનો વરઘોડો

લગ્નના દિવસે કુલદીપ યાદવ પરંપરાગત અંદાજમાં ઘોડી પર સવાર થઈને વરઘોડોનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. વરઘોડાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નાચતા જોવા મળે છે.

 

ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ હાજર

આ સમારોહમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ હાજર રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલ હલ્દી સમારંભ દરમિયાન મસ્તી કરતા જોવા મળ્યા હતા. રિંકુ સિંહ પોતાની ફિયાન્સે પ્રિયા સરોજ સાથે લગ્નમાં પહોંચ્યો હતો, જ્યારે ભુવનેશ્વર કુમાર પણ પોતાની પત્ની સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. ઉપરાંત તિલક વર્મા અને મોહમ્મદ કૈફ સહિત અનેક જાણીતા ચહેરાઓએ હાજરી આપી હતી.

પરંપરાગત વિધિઓ મોડી રાત સુધી ચાલી

લગ્નની મુખ્ય વિધિઓ સાંજે લગભગ 4 વાગ્યે શરૂ થઈ હતી. સેવોય હોટેલના સેન્ટ્રલ લોનમાં પહેલા વરમાળાની વિધિ યોજાઈ, ત્યારબાદ પરંપરાગત રીતે સાત ફેરા લેવામાં આવ્યા. સાંજે પાઘડી બાંધવાની વિધિ પણ યોજાઈ હતી અને ત્યારબાદ અન્ય પરંપરાગત વિધિઓ મોડી રાત સુધી ચાલી હતી.

 

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

કુલદીપ યાદવના લગ્ન પ્રસંગે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ દેહરાદૂન પહોંચ્યા હતા. તેમણે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલદીપ યાદવ અવારનવાર બાગેશ્વર ધામની મુલાકાત લેતો રહે છે. હવે આ કપલનું ભવ્ય રિસેપ્શન 17 માર્ચે લખનૌમાં યોજાશે.

Breaking News: એમએસ ધોનીનું આ છેલ્લું IPL હોઈ શકે! પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો દાવો

Published On - 10:21 pm, Sat, 14 March 26