
IPL 2026 ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે એક એવો નિર્ણય લીધો જે સામાન્ય રીતે ખૂબ જ દુર્લભ હોય છે. દિલ્હી કેપિટલ્સે પંજાબ સામેની મેચ માટે ટીમમાંથી તેના પાંચ ખેલાડીઓને પડતા મૂક્યા. કુલદીપ યાદવ, સમીર રિઝવી અને કરુણ નાયર જેવા ખેલાડીઓને દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા. બીજી તરફ, પંજાબે ટીમમાં ફક્ત એક ફેરફાર કર્યો છે.
અભિષેક પોરેલ, કેએલ રાહુલ, સાહિલ પારખ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, અક્ષર પટેલ, માધવ તિવારી, મુકેશ કુમાર, આકિબ નબી, લુંગી એનગીડી, મિશેલ સ્ટાર્ક.
પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કોનલી, શ્રેયસ અય્યર, માર્કસ સ્ટોઈનિસ, સૂર્યાંશ શેડગે, શશાંક સિંઘ, માર્કો યાનસન, બેન ડવોર્શિયસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો. કેપ્ટન અક્ષર પટેલે જણાવ્યું કે તે ધર્મશાળાની પિચ અંગે તે વધુ જાણતો નથી. પિચ સ્પીડ અને સ્વિંગ બંને આપે છે, તેથી દિલ્હીએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીએ તેમના પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે.
5 CHANGES FOR DELHI CAPITALS
– Abishek Porel ✅
– Sahil Parakh ✅
– David Miller ✅
– Auqib Nabi ✅
– Madhav Tiwari ✅ pic.twitter.com/qAPlsUFQ48— Johns. (@CricCrazyJohns) May 11, 2026
દરમિયાન, સતત ત્રણ મેચ હારનારા પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે જણાવ્યું કે તેઓ મુશ્કેલ સમયમાંથી શીખ્યા છે અને હવે યોગ્ય સમયે પાછા ફરવા માટે કટિબદ્ધ છે. પંજાબ નંબર 1 થી નંબર 4 પર સરકી ગયું છે. દિલ્હી સામે હારથી તેઓ ટોચના ચારમાંથી બહાર થઈ શકે છે.
દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 11 મેચમાંથી માત્ર ચાર જ મેચ જીતી છે. તેમના ફક્ત આઠ પોઈન્ટ છે. જો તેઓ આગામી ત્રણ મેચ જીતી લે તો પણ પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. પંજાબે 10 માંથી છ મેચ જીતી છે. આ મેચમાં જીત તેમને નંબર 1 સ્થાન પર પહોંચાડશે.