
અમદાવાદના મેદાનમાં જામશે જંગ: ગુજરાત અને પંજાબ વચ્ચે કાંટાની ટક્કર, આઈપીએલ 2026 નો રોમાંચ હવે ચરમસીમા પર છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 46મો મુકાબલો રમાઈ રહ્યો છે. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે અને પંજાબ કિંગ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.
મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થઈ છે. ઘરઆંગણે રમી રહેલી ગુજરાતની ટીમ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની છે, જ્યારે શ્રેયસ અય્યરની આગેવાનીમાં પંજાબની ટીમ પણ વળતો પ્રહાર કરવા તૈયાર છે.
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર
ઇમ્પેક્ટ સબ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, કુલવંત ખેજરોલિયા.
શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, કૂપર કોનલી, સૂર્યાંશ શેડગે, નેહાલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાનસન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
ઇમ્પેક્ટ સબ: હરપ્રીત બરાર, વિષ્ણુ વિનોદ, વિજયકુમાર વૈશાક, મુશીર ખાન, મિચ ઓવન.
બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. ગુજરાત માટે ઘરઆંગણાના પ્રેક્ષકોનો સપોર્ટ પ્લસ પોઈન્ટ રહેશે, જ્યારે પંજાબ કિંગ્સ પાસે પણ આક્રમક ખેલાડીઓની ફોજ છે.