
ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે કે નહીં તે પ્રશ્નનો આખરે જવાબ મળી ગયો છે. ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે તેનું કારણ સમજાવ્યું.
કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે જણાવ્યું કે ધોની સ્ટેડિયમમાં આવ્યો હતો પણ રમશે નહીં. ધોની હજુ પણ ઘાયલ છે અને મેદાનમાં ઉતરશે નહીં. અહેવાલો અનુસાર ધોનીના અંગૂઠામાં ઈજા છે, જેના કારણે તેના માટે રમવું મુશ્કેલ બની ગયું છે. નોંધનીય છે કે ધોની આ સિઝનમાં પહેલીવાર ટીમ સાથે દેખાયો છે. એવું માનવામાં આવતું હતું કે IPL 2026 માં આ મેચ તેની કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે, પરંતુ ધોની આ મેચમાં પણ રમ્યો નહીં.
Now at the den! #WhistlePodu #CSKvSRH pic.twitter.com/FVfxDIOuT3
— Chennai Super Kings (@ChennaiIPL) May 18, 2026
મહેન્દ્રસિંહ ધોનીને તો પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું, પંરતુ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મહત્વપૂર્ણ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે એક મોટો ફેરફાર કર્યો હતો. તેમણે ગુર્જપનીત સિંહની જગ્યાએ અકીલ હોસેનને ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો અને છેલ્લી મેચની જ ટીમ સાથે મેદાનમાં ઉતર્યા છે.
Raring to go!#WhistlePodu #CSKvSRH pic.twitter.com/estHoN5tws
— Chennai Super Kings (@ChennaiIPL) May 18, 2026
સંજુ સેમસન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, સ્પેન્સર જોનસન.
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, એશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગ.