Breaking News: એક જ દિવસમાં 22.4 કરોડના 3 ખેલાડીઓ થયા બહાર! IPL 2026 શરૂ થાય તે પહેલા હડકંપ

IPL 2026 શરુ થાય તે પહેલા જ ટીમોની ચિંતા વધી ગઈ છે. સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે બહાર થઈ રહ્યા છે. એક જ દિવસમાં ત્રણ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા છે, જેમનો કુલ પગાર ₹22.4 કરોડ છે.

Breaking News:  એક જ દિવસમાં 22.4 કરોડના 3 ખેલાડીઓ થયા બહાર! IPL 2026 શરૂ થાય તે પહેલા હડકંપ
Image Credit source: X
| Updated on: Mar 19, 2026 | 10:28 PM

નવી IPL સિઝન શરૂ થાય તે પહેલા જ અનેક ટીમો ખેલાડીઓની ઈજાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હવે છેલ્લા 24 કલાકની ત્રણ સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 28 માર્ચે IPLની 19 મી સિઝન શરૂ થાય તેના નવ દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે 24 કલાકની અંદર ખરાબ સમાચાર આવ્યા છે.

24 કલાકમાં ત્રણ ખેલાડીઓ બહાર!

19 માર્ચ, ગુરુવારના રોજ, ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર નાથન એલિસ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર રીતે જાહેરાત કરી ન હતી, પરંતુ CSKના CEOએ મીડિયાને જણાવ્યું હતું કે એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં.

રાજસ્થાન રોયલ્સને મોટો ઝટકો લાગ્યો

એક અહેવાલ અનુસાર ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પણ ઈજાને કારણે આ સિઝનમાં રમી શકશે નહીં. કરનને ગ્રોઈનમાં ઈજા થઈ હતી, જેમાંથી તે સમયસર સ્વસ્થ થઈ શકશે નહીં. ગયા સિઝન પછી તેને CSK થી રાજસ્થાન રોયલ્સ સાથે ₹2.4 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. જોકે, તે તેની નવી ફ્રેન્ચાઇઝી માટે મેદાનમાં ઉતરી શકશે નહીં.

KKR માટે વધુ એક ખરાબ સમાચાર

KKR, જે પહેલાથી જ ફાસ્ટ બોલરોની અછતનો સામનો કરી રહી છે, તેને પણ મોટો ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર મથીશા પથિરાના, જેને KKR દ્વારા ₹18 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો, તે હજુ સુધી ફિટનેસ પાછી મેળવી શક્યો નથી અને શ્રીલંકા ક્રિકેટ તરફથી તેને NoC મળ્યું નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે પથિરાના તેની ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ ગયો, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો. પરિણામે, હવે ટુર્નામેન્ટમાં તેનું રમવું અશક્ય લાગે છે.

ત્રણેય ખેલાડીઓની ઈજાઓનું કનેક્શન

આ ત્રણેય ખેલાડીઓ વિશે એક રસપ્રદ સંયોગ એ છે કે ત્રણેય ગયા સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયેલા હતા. જ્યારે સેમ કરનને આ વર્ષે CSK દ્વારા રાજસ્થાનમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો, ત્યારે મથીશા પથિરાનાને પણ ફ્રેન્ચાઇઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ KKR એ તેને સાઈન કર્યો હતો. આમાંથી, એલિસ એકમાત્ર ખેલાડી છે જે ગયા સિઝન પછી આ સિઝનમાં ચેન્નાઈની ટીમમાં રહ્યો.

Breaking News: 18 કરોડના ખેલાડીને IPL 2026 માં રમવાની મંજૂરી ના મળી, KKR ની વધી મુશ્કેલી

Follow Us