AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: રોહિત શર્માને 10 વર્ષ પહેલા જીવનભર યાદ રહેનારી પિડા મળી હતી, હવે ‘હિટમેન’ થી ‘બાદશાહ’ બનવાનો માર્ગ સજાવાયો

રોહિત શર્મા (Rohit Sharma) T20 બાદ ODI ટીમનો પણ કેપ્ટન બન્યો છે. T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ 2023 જીતવાની જવાબદારી મળી

Rohit Sharma: રોહિત શર્માને 10 વર્ષ પહેલા જીવનભર યાદ રહેનારી પિડા મળી હતી, હવે 'હિટમેન' થી 'બાદશાહ' બનવાનો માર્ગ સજાવાયો
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:07 AM
Share

રોહિત શર્માને T20 બાદ ભારતીય વનડે ટીમ (Indian Cricket Team) ની કપ્તાની પણ સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ને મળી છે. રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2022 જીતવાનું કામ સોંપવામાં આવ્યું છે અને સાથે જ તેને વર્લ્ડ કપ 2023માં તિરંગો લહેરાવવાનું મિશન પણ આપવામાં આવ્યું છે. આજે, કરોડો ક્રિકેટ ચાહકો રોહિત શર્માના ODI કેપ્ટન બનવાની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે આ ખેલાડી એક રૂમમાં એકલો વિશ્વ કપની ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ કરી રહ્યો હતો.

વર્ષ 2011ના વર્લ્ડ કપમાં રોહિત શર્માને ટીમમાં જગ્યા મળી ન હતી. તેની જગ્યાએ યુસુફ પઠાણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને રોહિત શર્માને તે વાત આજ સુધી યાદ છે. આજે પણ રોહિત શર્મા કહે છે કે વર્લ્ડકપ 2011માં ન રમવાની પીડા કદાચ તે ક્યારેય ભૂલી શકશે નહીં. પરંતુ હવે રોહિત શર્મા તેના પ્રદર્શન, તેની કુશળતા અને તેના નેતૃત્વના આધારે તે જ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બની ગયો છે. 10 વર્ષ પહેલા જે રોહિત શર્માને વર્લ્ડકપની ટીમમાં સ્થાન નહોતું મળ્યું, આજે એ જ ખેલાડીને ભારતને વિશ્વ વિજયી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

શા માટે રોહિત શર્માને ODI-T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો?

રોહિત શર્માને ODI અને T20 ટીમની કમાન એવી રીતે મળી નથી. આ ખેલાડીએ પહેલા બેટથી અને પછી પોતાના નેતૃત્વ કૌશલ્યથી સમગ્ર વિશ્વને તેની સામે ઝુકાવી દીધું છે. IPLમાં રોહિત શર્માની કેપ્ટનશિપની કુશળતા આખી દુનિયાએ જોઈ. જે IPLમાં ધોની (MS Dhoni) કેપ્ટન છે, તે જ ટૂર્નામેન્ટમાં રોહિતે સૌથી વધુ 5 વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. રોહિત શર્મા જાણે છે કે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહીને નિર્ણયો લેવા. રોહિત શર્માનું વ્યક્તિત્વ બીજા કરતા સાવ અલગ છે. ભલે તેઓ સિનિયર હોય કે જુનિયર, તેઓ બધાની સાથે સમાન રહે છે. આ જ કારણ છે કે દરેક ખેલાડી રોહિત શર્મા સાથે ઉભો જોવા મળે છે.

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ સાબિત કરી છે

રોહિત શર્માની ઈન્ટરનેશનલ કેપ્ટન્સી પણ અદભૂત છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 10 માંથી 8 ODI મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી 80 ટકા છે. T20માં તેણે 22માંથી 18 ટી20 મેચ જીતી છે અને જીતની ટકાવારી 81.82 છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ પણ જીત્યો છે. રોહિત શર્મા હાલમાં જ ODI અને T20 કેપ્ટન બન્યો છે પરંતુ તેની અંદર હંમેશા એક કેપ્ટન રહ્યો છે. આશા છે કે હવે તે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવશે.

આ પણ વાંચોઃ  Virat Kohli: વિરાટ કોહલીને BCCI એ સન્માનજનક રીતે કેપ્ટનશિપ છોડી દેવા આપ્યો હતો બે દિવસનો સમય, પરંતુ વાત નહીં માનતા હટાવાયો!

આ પણ વાંચોઃ Vijay Hazare 2021: સૌરાષ્ટ્ર ટીમે ઉત્તર પ્રદેશ સામે 32 રને વિજય મેળવ્યો, હાર્વિક દેસાઇનુ અર્ધશતક, ચિરાગ જાનીની 5 વિકેટ

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">