Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિકોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ખેલાડીઓ બહાર, 3 નવા બોલરોને મળી તક

શ્રીલંકામાં યોજાનારી ODI ત્રિકોણીય શ્રેણી માટે BCCIએ ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકા ઉપરાંત દક્ષિણ આફ્રિકાની ટીમ પણ ભાગ લેવા જઈ રહી છે. આ માટે બોર્ડે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ત્રિકોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 4 ખેલાડીઓ બહાર, 3 નવા બોલરોને મળી તક
Indian Womens Cricket TeamImage Credit source: PTI
Follow Us:
| Updated on: Apr 08, 2025 | 10:13 PM

શ્રીલંકામાં યોજાનારી ODI ત્રિકોણીય શ્રેણી માટે BCCIએ 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બોર્ડે પહેલીવાર 3 નવા ખેલાડીઓને તક આપી છે. જ્યારે 4 અનુભવી ખેલાડીઓને ટીમની બહાર કર્યા છે, જેમાં ઓપનર શેફાલી વર્માનું નામ પણ સામેલ છે. જોકે, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું પુનરાગમન થયું છે. આયર્લેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણીમાં આરામ લીધા બાદ તે આ શ્રેણીમાં રમવા જઈ રહી છે.

ત્રણ ફાસ્ટ બોલરો ટીમની બહાર

BCCI દ્વારા જાહેર કરાયેલી ટીમમાં ચાર મોટા ખેલાડીઓ બહાર છે. આમાં પેસ બોલરો રેણુકા સિંહ ઠાકુર, તિતસ સાધુ અને પૂજા વસ્ત્રાકરના નામનો સમાવેશ થાય છે. ત્રણેય બોલરો હાલમાં ઈજાઓનો સામનો કરી રહ્યા છે. તેથી, તેમને ODI ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે
Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?

શેફાલી વર્માની ફરી અવગણના

આ ત્રણ ફાસ્ટ બોલરો સિવાય ટીમની વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માને ફરી એકવાર અવગણવામાં આવી છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર બેટિંગ કરી હતી. શેફાલીએ 9 ઈનિંગ્સમાં 152ના સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં ચોથા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. આમ છતાં તેને ટીમમાં સ્થાન મળ્યું નહીં.

કાશ્વી ગૌતમને ટીમમાં મળ્યું સ્થાન

વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને BCCIએ પહેલીવાર ટીમમાં 3 નવા બોલરોનો સમાવેશ કર્યો છે. આમાં પહેલું નામ ફાસ્ટ બોલર કાશ્વી ગૌતમનું છે. તેણીએ મહિલા પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કાશ્વીએ WPL 2025 સિઝનમાં ગુજરાત જાયન્ટ્સ માટે 9 મેચમાં 11 વિકેટ લીધી હતી. આ સિઝનમાં તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી.

3 નવા બોલરો માટે તક

કાશ્વી ઉપરાંત 20 વર્ષીય ડાબોડી સ્પિનર ​​એન શ્રી ચારાણીને પણ પહેલીવાર તક મળી છે. તેણીએ દિલ્હી કેપિટલ્સ માટે બે મેચ રમી અને 4 વિકેટ લેવામાં સફળ રહી. ડાબોડી સ્પિનર ​​શુચી ઉપાધ્યાય પણ પહેલીવાર ટીમ ઈન્ડિયાની ટીમમાં જોડાઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સિનિયર મહિલા વન-ડે ટ્રોફીમાં તેણીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટુર્નામેન્ટની ત્રીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. શુચીએ 3.48ની ઈકોનોમી અને 15.44ની સરેરાશથી 18 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી પણ રહી હતી અને મધ્યપ્રદેશને ખિતાબ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: Priyansh Arya Century : પ્રિયાંશ આર્યએ સદી ફટકારતા ખુશીથી ઝૂમી ઉઠી પંજાબ કિંગ્સની ‘કવીન’ પ્રીતિ ઝિન્ટા, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
g clip-path="url(#clip0_868_265)">