AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?

Ambati Rayudu Retirement: અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો.

Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?
અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:55 PM
Share

અંબાતી રાયડૂએ ભારતીય ક્રિકેટ લીગ આઈપીએલમાંથી નિવૃત્તી જાહેર કરી હતી. અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો. જ્યા તે ટેક્સસ સુપર કિંગ્સ ટીમમાં સમાલે થયો હતો. પરંતુ હવે મેજર લીગ ક્રિકેટ લીગમાંથી નહીં રમે. તેણે લીગમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. રાયડૂએ પોતાનુ નામ પરત લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અમેરિકાની મેજર લીગ ક્રિકેટની કેટલીક ટીમને ભારતીય પ્રીમિયર લીગની જ કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ખરીદી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ એક ટીમ ખરીદી હતી. જે ટીમનુ નામ ટેક્સાસ સુપર કિંગ્સ રાખવામાં આવ્યુ છે. અંબાતી રાયડૂ આ ટીમનો હિસ્સો બન્યો હતો. તેણે ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યા હતા. પરંતુ આ દરમિયાન જ અંબાતી રાયડૂએ લીગ ક્રિકેટમાંથી પોતાનુ નામ પરત ખેંચવાની વાત કરી હતી.

કયા કારણે નામ પરત ખેંચ્યુ

આઈપીએલ 2023 દરમિયાન જ અંબાતી રાયડૂએ બતાવ્યુ હતુ કે, આ સિઝન તેના માટે અંતિમ સિઝન છે. રાયડૂએ આઈપીએળની ફાઈનલ પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એ વખતે જ નિવૃત્તીનુ કારણ પણ સામે આવ્યુ હતુ કે, રાયડૂ વિદેશી લીગમાં રમવા માટેનુ મન બનાવી ચૂક્યો છે. જોકે આ દરમિયાન જ બાદમાં ટેક્સાસ સુપર કિંગ્સમાં નામ આવતા જ બધુ સ્પષ્ટ થઈ ગયુ હતુ. જોકે હવે તે લીગની પ્રથમ સિઝનમાં નહીં રમવા માટેનો નિર્ણય કરી ચૂક્યો છે. જોકે સમાચાર એજન્સીએ રાયડૂનુ નામ પરત ખેંચવાનુ કારણ અંગત દર્શાવ્યુ હતુ.

હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના એપેક્સ કાઉન્સિલની મિટીંગ દરમિયાન ખેલાડીઓની વિદેશી લીગમાં રમવાને લઈ પોલીસે તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઈને વિદેશી લીગમાં રમી શકતા હતા. પરંતુ હવે બીસીસીઆઈ હવે નિયમમાં ફેરફાર કરીને કૂલીંગ પિરીયડ તૈયાર કરી શકે છે. આમ કરવાથી ભારતીય ક્રિકેટ છોડીને સીધા જ વિદેશી લીગમાં રમવા પહોંચતા ખેલાડીઓ પર રોક લાગી શકે છે. આમ આ દરમિયાન જ રાયડૂએ પોતાના નામને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">