
એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ જીત્યા પછી ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક વિવાદમાં ફસાઈ ગયો છે. પાકિસ્તાન સામે બીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સૂર્યકુમાર યાદવની વિરુદ્ધ ICC પાસે ફરિયાદ નોંધાવી છે. PCB અનુસાર, સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજને નુકસાન પહોંચાડે તેવા હતા.
ICCના મેચ રેફરી રિચી રિચાર્ડસને ભારતીય ટીમને ઈમેલ મોકલી સ્પષ્ટતા માંગતી હતી. તેમાં જણાવાયું હતું કે PCBએ મેચ પ્રેઝન્ટેશન તથા પ્રેસ કોન્ફરન્સ દરમિયાનના બે જુદા-જુદા નિવેદનો અંગે ફરિયાદ કરી છે. આ બંને નિવેદનોને મેચ રેફરીએ નોંધમાં લીધા છે અને સૂર્યકુમારના નિવેદનો ક્રિકેટની ઈમેજ વિરુદ્ધ હોવાનું કહ્યું છે.
વિવાદાસ્પદ નિવેદનનો જે દાવો પાકિસ્તાન કરી રહ્યું છે તેમાં સૂર્યકુમાર યાદવે કહ્યુ હતું કે અમારી જીત પુલવામા આતંકવાદી હુમલાના શહીદોને સમર્પિત છે. બીજું, તેણે કહ્યુ હતું કે તેને સૂચના આપવામાં આવી હતી કે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો.
BIG UPDATE FROM ASIA CUP
Suryakumar Yadav’s hearing is concluded, the decision is pending but it is expected that SKY will be let off with a warning. ✅
Farhan Sahibzada and Haris Rauf’s hearing will happen tomorrow. [Abhishek Tripathi] pic.twitter.com/HuJ2ZzYVpu
— Johns. (@CricCrazyJohns) September 25, 2025
હવે પ્રશ્ન ઉઠે છે કે શું સૂર્યકુમાર યાદવ પર પ્રતિબંધ લાગી શકે? ICCના નિયમો મુજબ, આ કેસ Level 1 ઉલ્લંઘન છે. આવા કેસમાં સામાન્ય રીતે ખેલાડીને માત્ર મેચ ફીનો દંડ આપવામાં આવે છે. પ્રતિબંધ ત્યારે જ લાગુ પડે છે જ્યારે કેસ Level 2 કે Level 3 હોય.
હાલમાં, સૂર્યકુમાર યાદવ પર કોઈ તાત્કાલિક પ્રતિબંધ લાગવાનો ભય નથી, અને તે એશિયા કપ 2025ની ફાઈનલ માટે ઉપલબ્ધ રહી શકે છે. જો તે આરોપો સ્વીકારી લે તો સુનાવણીની જરૂર જ નહીં પડે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે હોશ, આટલી પ્રાઈઝમાં તો 100 BMW આવી જાય
Published On - 8:51 pm, Thu, 25 September 25