AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા

વનડે ફોર્મેટના ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ફાઈનલ સુધી પહોંચેલી ભારતીય ટીમને અંતિમ અને ફાઈનલ મુકાબલામાં હાર મળતા ભારત વર્લ્ડ કપ ટ્રોફી ત્રીજી વાર જીતવાથી વંચિત રહી ગયું હતું. જે બાદ ક્રિકેટ જગતના અનેક દિગ્ગજોએ ભારતની હાર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રતિક્રિયા આપી હતી.

વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાની હાર બાદ દિગ્ગજ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર આપી પ્રતિક્રિયા
team india stars
| Updated on: Nov 20, 2023 | 4:14 PM
Share

વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી હતી. ભારત સહિત વિશ્વભરના અનેક દેશના ફેન્સે ટીમ ઈન્ડિયાની હાર બાદ ફોટો અને વીડિયો શેર કર્યા હતા, સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી.

ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતના અનેક દિગ્ગજ ક્રિકેટરોએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને વર્લ્ડ કપ ફાઈનલ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, વીવીએસ લક્ષ્મણ સહિત અનેક ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

અંતિમ મેચને બાદ કરીએ તો ભારતે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કર્યું હતું છતાં ફાઈનલમાં હાર થતા ભારતના દિગ્ગજ ક્રિકેટરો પણ ચોક્કસથી નિરાશ થયા હતા, જોકે તેમ છતાં તમામ ક્રિકેટરોએ ભારતને ફાઈનલમાં પહોંચવા અને ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સચિન તેંડુલકરે શું લખ્યું?

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે લખ્યું કે, ‘હાર એ રમતનો એક ભાગ છે, પરંતુ આપણે યાદ રાખીએ કે આ ટીમે આખી ટુર્નામેન્ટમાં પોતાનું સર્વસ્વ આપ્યું છે.’

યુવરાજ સિંહે પાઠવી શુભેચ્છા

યુવરાજ સિંહે વિરાટ કોહલીને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી, સાથે જ રોહિત શર્માને ટીમની શાનદાર કપ્તાની કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગે કરી પોસ્ટ

વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને ફાઈનલમાં હારવા છતાં મોં ઊંચું કરીને ચાલવા કહ્યું હતું અને ફાઈનલ સુધીની સફર બદલ અભિનંદન આપ્યા હતા.

વીવીએસ લક્ષ્મણે આપી પ્રતિક્રિયા

નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના હેડ અને ભારતના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લખ્યું હતું કે, ‘ભારત માટે હાર્ટબ્રેક મોમેન્ટ છે. રોહિત અને તેની ટીમના તમામ ખેલાડીઓએ છેલ્લા સાત અઠવાડિયામાં વર્લ્ડ કપમાં યાદગાર પ્રદર્શન કર્યું છે. બધા માથું ઊંચું રાખી સન્માનથી ચાલો.’

આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ આવ્યા સામ-સામે, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">