Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે
મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે, તેવામાં હવે કોરોનાને કારણે પૂણેમાં યોજાનાર ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચમાં (ODI match) દર્શકોને એન્ટ્રી નહીં આપવાનું નક્કી કરાયુ છે. સ્ટેડિયમમાં (Stadium) દર્શકોની હાજરી વગર જ મેચ રમાશે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોને લઈને પૂણેમાં યોજાનાર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ વનડે મેચ થશે કે નહીં. તેને લઈને મૂંઝવણ હતી, પરંતુ હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મિલિંદ નાર્વેકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને પરમિશન માટે અપીલ કરી હતી, જેને સીએમએ માની લીધી છે અને હવે પૂણેમાં રમાનાર ત્રણ વનડે મેચ નિર્ધારીત સમયે જ યોજાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સૂચના આપી છે કે ખેલાડીઓ અને અન્ય કર્મચારીઓને કોરોના ચેપ ન લાગે તે માટેની માર્ગદર્શિકાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે.
આ પણ વાંચો: JEE Main 2021: પ્રથમ તબક્કામાં 95% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, શિક્ષણ પ્રધાને આપી માહિતી