AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સાત વર્ષ પછી ભારત આવશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ માટે સરકારે આપી મંજૂરી

પાકિસ્તાની સરકારે ક્રિકેટ ટીમને (Pakistan Cricket team) ભારત મોકલવા અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી, જેણે આઈસીસી પાસેથી સુરક્ષાની ગેરંટી માંગી હતી.

Breaking News: સાત વર્ષ પછી ભારત આવશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ માટે સરકારે આપી મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 8:31 PM
Share

દુનિયાભરના ક્રિકેટ ફેન્સને ફરી એકવાર ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેનો મુકાબલો જોવા મળશે, હાલમાં તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમને (Pakistan Cricket team) મોકલવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે દૂર થઈ ગઈ છે. પાકિસ્તાન સરકારે આખરે વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે 7 વર્ષની રાહ જોયા બાદ પાકિસ્તાની ટીમ ફરી ભારત આવશે. આ પહેલા પાકિસ્તાને 2016 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. 14 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે 6 ઓગસ્ટે એક નિવેદન જાહેર કરીને ટીમને ભારત મોકલવાના નિર્ણયની જાહેરાત કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ રમતગમત અને રાજકારણને મિક્સ કરવા માંગતા નથી અને તેથી વર્લ્ડ કપ 2023 માટે તેમની ટીમ ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બંને દેશો વચ્ચે રમતગમત સંબંધિત મામલાઓમાં અવરોધ ન આવવો જોઈએ.

પીએમની સમિતિએ આપ્યું હતું સમર્થન

વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો નિર્ણય લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક સમિતિની રચના કરી હતી, જેના પ્રમુખ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી હતા. આમાં સરકારના અન્ય ઘણા મંત્રીઓ પણ હતા. આ સપ્તાહની શરૂઆતમાં સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભુટ્ટો સહિત મોટાભાગના મંત્રીઓએ ટીમને ભારત મોકલવાનું સમર્થન કર્યું હતું. આ પછી જ સરકારે ટીમ મોકલવાનો નિર્ણય કર્યો.

(Tweet: Spokesperson Twitter)

આ પણ વાંચો: Pakistani ક્રિકેટરોને મળશે Increment, આ સ્ટાર ખેલાડીઓ થશે માલામાલ

સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાની સમિતિએ પોતાની ભલામણ કરેલી ટીમની મજબૂત સુરક્ષાને લઈને આઈસીસીને લેખિત ગેરંટી આપવાની વાત પણ કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પોતાની ટીમની સુરક્ષાને લઈને ચિંતિત છે અને તેમણે આને લઈને આઈસીસી અને ભારતીય અધિકારીઓને પણ જાણ કરી છે. પાકિસ્તાન સરકારે પણ પોતાની ટીમના ભારત પ્રવાસ પર સંપૂર્ણ સુરક્ષાની આશા વ્યક્ત કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">