AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સાત વર્ષ પછી ભારત આવશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ માટે સરકારે આપી મંજૂરી

પાકિસ્તાની સરકારે ક્રિકેટ ટીમને (Pakistan Cricket team) ભારત મોકલવા અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરી હતી, જેણે આઈસીસી પાસેથી સુરક્ષાની ગેરંટી માંગી હતી.

Breaking News: સાત વર્ષ પછી ભારત આવશે પાકિસ્તાની ટીમ, વર્લ્ડ કપ માટે સરકારે આપી મંજૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 8:31 PM
Share

દુનિયાભરના ક્રિકેટ ફેન્સને ફરી એકવાર ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચેનો મુકાબલો જોવા મળશે, હાલમાં તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમને (Pakistan Cricket team) મોકલવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે દૂર થઈ ગઈ છે. પાકિસ્તાન સરકારે આખરે વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે 7 વર્ષની રાહ જોયા બાદ પાકિસ્તાની ટીમ ફરી ભારત આવશે. આ પહેલા પાકિસ્તાને 2016 T20 વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. 14 ઓક્ટોબરે ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે 6 ઓગસ્ટે એક નિવેદન જાહેર કરીને ટીમને ભારત મોકલવાના નિર્ણયની જાહેરાત કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ રમતગમત અને રાજકારણને મિક્સ કરવા માંગતા નથી અને તેથી વર્લ્ડ કપ 2023 માટે તેમની ટીમ ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બંને દેશો વચ્ચે રમતગમત સંબંધિત મામલાઓમાં અવરોધ ન આવવો જોઈએ.

પીએમની સમિતિએ આપ્યું હતું સમર્થન

વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો નિર્ણય લેવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક સમિતિની રચના કરી હતી, જેના પ્રમુખ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી હતા. આમાં સરકારના અન્ય ઘણા મંત્રીઓ પણ હતા. આ સપ્તાહની શરૂઆતમાં સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભુટ્ટો સહિત મોટાભાગના મંત્રીઓએ ટીમને ભારત મોકલવાનું સમર્થન કર્યું હતું. આ પછી જ સરકારે ટીમ મોકલવાનો નિર્ણય કર્યો.

(Tweet: Spokesperson Twitter)

આ પણ વાંચો: Pakistani ક્રિકેટરોને મળશે Increment, આ સ્ટાર ખેલાડીઓ થશે માલામાલ

સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાની સમિતિએ પોતાની ભલામણ કરેલી ટીમની મજબૂત સુરક્ષાને લઈને આઈસીસીને લેખિત ગેરંટી આપવાની વાત પણ કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનમાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પોતાની ટીમની સુરક્ષાને લઈને ચિંતિત છે અને તેમણે આને લઈને આઈસીસી અને ભારતીય અધિકારીઓને પણ જાણ કરી છે. પાકિસ્તાન સરકારે પણ પોતાની ટીમના ભારત પ્રવાસ પર સંપૂર્ણ સુરક્ષાની આશા વ્યક્ત કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
ભાવનગરમાં આલેખ કોમ્પલેક્સમાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી- Video
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
PM મોદીએ વિપક્ષને કહ્યું- મહિલા અનામત બિલને પસાર કરીને ક્રેડિટ મેળવો
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
મુમતાઝ પટેલની કોંગ્રેસને ટકોર
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
Breaking News :
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
ભરૂચમાં 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
g clip-path="url(#clip0_868_265)">