Neymar Retirement: નેમારે લીધો સંન્યાસ,FIFA World Cup 2026માંથી બ્રાઝિલની બહાર થયા બાદ નેમારે જાહેરાત કરી
Neymar retire after Brazil exit from FIFA World Cup 2026 : નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.ફીફા વર્લ્ડકપ 2026માંથી બ્રાઝીલ બહાર થયા બાદ આ નિર્ણય લીધો છે. બ્રાઝીલને રાઉન્ડ ઓફ 16ની મેચમાં નોર્વેના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે.

Neymar retire from International Football : બ્રાઝીલના સ્ટાર સ્ટ્રાઈકર નેમારે ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસ લીધો છે. તેમણે પોતાના 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરનો અંત ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં લીધો છે. મહત્વની વાત એ છે કે, 2010માં આ સ્ટેડિયમમાં તેમણે ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. નેમારે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય બ્રાઝીલ ફીફા વર્લ્ડકપ 2026માંથી બહાર થયા બાદ લીધો છે.
બ્રાઝીલને રાઉન્ડ ઓફ 16 મેચમાં નોર્વેના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં બ્રાઝીલ માટે માત્ર નેમારે ગોલ કર્યો હતો.
Neymar’s Brazil career came full circle at MetLife Stadium, the venue of his first and last game for the Brazil, as well as his first and last goal. ❤️ pic.twitter.com/eApPol2Chx
— Ney (@Neycromancer) July 5, 2026
જ્યાંથી કરિયર શરુ કર્યું ,નેમારે ત્યાં છેલ્લી મેચ રમી
રાઉન્ડ ઓફ 16માં નોર્વોના હાથો બ્રાઝીલની હાર બાદ નેમારે કહ્યું કે, તેમણે ખુબ પ્રયત્ન કર્યટો પરંતુ બધું પૂર્ણ થઈ ચૂક્યું હતુ. મે મેટલાઈફ સ્ટેડિયમમાં જ મારું ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. હવે આ સ્ટેડિયમમાં હું મારી સફર પૂર્ણ કરું છું.
નેમારનું સપનું અધુરું રહ્યું
નેમારના સંન્યાસના નિર્ણય પછી બ્રાઝીલને ચેમ્પિયન બનાવવાનું સપનું અધુરું રહ્યું છે. બ્રાઝીલને વર્લ્ડકપ જીતાડવાનું સપનું નેમારે ફુટબોલની દુનિયામાં પગ રાખતા લીધું હતુ. પરંતુ 16 વર્ષના કરિયર દરમિયાન આ સપનું પૂર્ણ કરી શક્યો નહી. નેમારે 2014,2018,2022 અને 2026ના ફીફા વર્લ્ડકપમાં બ્રાઝીલનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ 4 વર્લ્ડકપમાં તેમણે 9 ગોલ કર્યા છે.
નેમારનું ઈન્ટરનેશનલ કરિયર
નેમારે બ્રાઝીલ માટે 130 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેમણે કુલ 80 ગોલ કર્યા છે. બ્રાઝીલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. બ્રાઝીલને 2013માં ફીફા કોન્ફડરેશન કપ જીતાડવો અને 2016માં ઓલિમ્પિક ચેમ્પિયનમાં નેમારે મોટી ભુમિકા નિભાવી હતી.નેમારનો જન્મ સાઓ પાઉલોના મોગી દાસ ક્રુઝમાં નેમાર સાન્તોસ સિનિયર અને નાદીન દા સિલ્વાના ઘરે થયો હતો. નેમાર થોડા સમય બાદ પાંચમા બાળકનો પિતા બનશે.
