Breaking News : રાજસ્થાન રોયલ્સના માલિકો 40 દિવસમાં બદલ્યા, મિત્તલ પરિવારે અદાર પૂનાવાલાની સાથે કમાન સંભાળી

Rajasthan Royals New Owner : રાજસ્થાન રોયલ્સના માલિકની ઓળખ 40 દિવસની અંદર બદલી ગઈ છે.આવું ફ્રેન્ચાઈઝીના અધિગ્રહણ બાદ થયું છે. મિત્તલ પરિવારેની સાથે મળી રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી છે.

Breaking News : રાજસ્થાન રોયલ્સના માલિકો 40 દિવસમાં બદલ્યા, મિત્તલ પરિવારે અદાર પૂનાવાલાની સાથે કમાન સંભાળી
| Updated on: May 03, 2026 | 2:47 PM

Rajasthan Royals: આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલસને લક્ષ્મી નિવાસ મિત્તલ અને આદિત્ય મિત્તલે અદાર પૂનાવાલા સાથે મળી અધિગ્રહણ કરી છે. આ હવે તેઓ આઈપીએલ ફ્રેન્ચાઈઝીના નવા માલિક હશે. મિત્તલ પરિવારે 3 મેના રોજ આ મામલેની જાણકારી આપી છે. જેમાં કહ્યું કે, મનોજ બડાલે અને તેના કંસોર્ટિયમથી અદાર પૂનાવાલાની સાથે પાર્ટનરશીપમાં રાજસ્થાન રોયલ્સને અધિગ્રહણ માટે એક કરાર કર્યો છે.

રાજસ્થાન રોયલ્સના નવા માલિક

એક મીડિયા રિપોર્ટ મુજબ મિત્તલ પરિવાર પહેલાથી રાજસ્થાન રોયલ્સમાં રસ દેખાડ્યો છે. તેમનો રસ તેમના રમતગમતના પોર્ટફોલિયોને મજબૂત બનાવવાની ઇચ્છાથી પ્રેરિત હતો. હવે, તેમણે તેમના રસને વાસ્તવિકતામાં ફેરવી દીધો છે. આ અધિગ્રહણ પછી, મિત્તલ પરિવાર રાજસ્થાન રોયલ્સમાં 75 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે આદર પૂનાવાલા 18 ટકા હિસ્સો ધરાવશે. બાકીના 7 ટકા રોકાણકારો પાસે રહેશે, જેમાં મનોજ બડાલેનો પણ સમાવેશ થાય છે.

 

 

મિત્તલ પરિવારની સાથે આદાર પૂનાવાલા ખુશ

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, તે આ રોકાણ પર આદિત્ય મિત્તલની સાથે સહયોગ કરવાથી ખુશ છે. પૂનાવાલાના મુજબ રાજસ્થાન રોયલ્સ એક મજબુત વિરાસતવાળી મુખ્ય આઈપીએલ ફ્રેન્ચાઈઝી છે.અને હું તેના સતત વિકાસ અને લાંબા ગાળાની સફળતાને ટેકો આપવા માટે આતુર છું.

નવા માલિકોનું દિલથી સ્વાગત

મનોજ બડાલે કહ્યું કે, તે મિત્તલ પરિવારઅ અને અદાર પૂનાવાલાને રાજસ્થાન રોયલ્સના નવા માલિકોનું સ્વાગત કરી ખુબ ખુશ છે. ક્રિકેટ માટે તેનો જોશ રાજસ્થાન અને ભારત સાથે તેનું કનેક્શન તેમજ ફ્રેન્ચાઈઝી માટે તેની દીર્ધકાલિક મહત્વકાંક્ષાએ તેમને આ આગામી અધ્યાયના આદર્શ સંરક્ષક બનાવે છે.સુત્રોના જણાવ્યા મુજબ આ પહેલા રોકાણકાર કાલ સોમાનીના નેતૃત્વમાં એક કંસોર્ટિયમ રાજસ્થાન રોયલ્સ માટે મોટો દાવેદારના રુપમાં સામે આવ્યું હતુ.અને તેને એક્સક્લુઝિવિટી પણ મળી હતી, પરંતુ બાદમાં આ સોદો અંતિમ સ્વરૂપ મેળવી શક્યો ન હતો.

લક્ષ્મી નિવાસ મિત્તલ, આદિત્ય મિત્તલ, વનિષા મિત્તલ-ભાટિયા, આદર પૂનાવાલા અને મનોજ બડાલે રાજસ્થાન રોયલ્સના બોર્ડમાં જોડાશે. મિત્તલ પરિવારનો રાજસ્થાન રાજ્ય સાથે ગાઢ સંબંધ છે, કારણ કે લક્ષ્મી નિવાસ મિત્તલનો જન્મ અને ઉછેર ઉત્તર રાજસ્થાનના સાદુલપુર ગામમાં થયો હતો.

 

ટીમ ઈન્ડિયાના ‘સુપરસ્ટાર’ના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી કિલક કરો

 

 

Published On - 2:32 pm, Sun, 3 May 26

Follow Us