હાર્દીક પંડ્યાએ ઓસ્ટ્રેલીયા પ્રવાસથી ભારત પરત ફરી રહ્યો છે. તે ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલીયામાં રોકાનાર નથી. આ પહેલા તેણે બીજી ટી20 મેચ પછી કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટ ઇચ્છશે તો તે રોકાઇ જશે. સિડનમાં ત્રીજી ટી20 મેચ બાદ હાર્દીકે સ્વદેશ પરત ફરવાનુ કહ્યુ છે. વન ડે અને ટી20 સીરીઝમાં તેના પ્રદર્શનને લઇને તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરી શકાય છે તેમ આશા હતી.
હાર્દીક પડંયાએ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી અને અંતિમ ટી20 બાદ આ અંગે કહ્યુ હતુ. મારે સ્વદેશ પરત ફરવુ જોઇએ, પરીવાર સાથે હવે કેટલોક સમય વિતાવવો જોઇએ. હું ચારેક મહિના થી મારા પુત્ર ને જોયો નથી. એટલે જ હવે મારા પરીવારની સાથે સમય વિતાવવા માંગુ છુ. ટેસ્ટ ક્રિકેટમાં વાપસીને લઇને પૂછાયેલા પ્રશ્નમાં તેણે કહ્યુ હતુ કે, કદાચ ભવિષ્યમાં મને ખ્યાલ નથી કદાચ.
આ પહેલા હાર્દીક પંડ્યાને ટેસ્ટ સીરીઝને લઇને રોકાવા અંગે પુછવામાં આવતા તેણે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે બીજી ટી20 મેચ બાદ આ અંગે કહ્યુ હતુ કે, તે એક અલગ ફોર્મેટ છે, મને લાગે છે કે મારે એમ કરવાની જરુર છે, મને તેમા કોઇ મુશ્કેલી નથી પરંતુ ટીમ મેનેજમેન્ટે નિર્ણય કરવાનો હોય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો