Sharada Mukherjee Profile: બ્યુટી આઇકોન મનાતા શારદા મુખર્જી રાજકીય ક્ષેત્રે સફળ મહિલા

Sharda Mukherjee Gujarat Governor Full Profile in Gujarati : શારદા મુખર્જીએ પતિ સુબ્રતો મુખર્જીના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.

Sharada Mukherjee Profile: બ્યુટી આઇકોન મનાતા શારદા મુખર્જી રાજકીય ક્ષેત્રે સફળ મહિલા
Sharada Mukherjee Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:06 AM

શારદા મુખર્જી (Sharada Mukherjee) મહારાષ્ટ્રના રત્નાગિરીથી ત્રીજી અને ચોથી લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વાયુસેનાના પ્રમુખ સુબ્રતો મુખર્જીના પત્ની હતા. શારદા મુખર્જી પંડિત નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિતની ભત્રીજી પણ હતા.  શારદા મુખર્જીએ  પતિ સુબ્ર્તો મુખર્જીના અવસાન બાદ  રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ  ગુજરાત અને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ  (Governor)તરીકે પણ સેવા આપી હતી.

અંગત જીવન (Personal Life)

શારદા પંડિતનો જન્મ 24 ફેબ્રુઆરી 1919ના રોજ રાજકોટ, ગુજરાત ખાતે મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત હતા. તેમની માતા સરસ્વતીબાઈ પંડિત ફિલ્મ અભિનેત્રી દુર્ગા ખોટેના બહેન પણ હતા. નેહરુની બહેન વિજયાલક્ષ્મી પંડિત તેમની કાકી થતા હતા. શારદા પંડિતનું શિક્ષણ કેથેડ્રલ ગર્લ હાઈસ્કૂલ મુંબઈ, એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબઈ અને લૉ કૉલેજ મુંબઈમાં થયું હતું. બીજા વિશ્વયુદ્ધ પહેલા, તેમણે એરફોર્સ અધિકારી સુબ્રતો મુખર્જી સાથે લગ્ન કર્યા, જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ એર ચીફ માર્શલ હતા. શારદા મુખર્જીને તેમના સમયમાં બ્યુટી આઇકોન માનવામાં આવતા હતા.

રાજકીય કારર્કિર્દી(Political Career)

પતિના મૃત્યુ પછી  તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. શારદા મુખર્જી તેમના પતિ વાયુસેનામાં હતા ત્યારે સમાજ સેવા અને ચેરિટીની ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તે ભારતીય વાયુસેનાના ચેરિટી એસોસિએશનના સભ્ય હતા. ત્યારે ઈન્દિરા ગાંધી આ સંગઠનના પ્રમુખ હતા. તે પ્લાનિંગ કમિશનમાં ડિફેન્સ અફેર્સ સ્ટડી ટીમના સભ્ય પણ હતા. શારદા મુખર્જી 1960 માં ટોક્યોમાં તેમના પતિના મૃત્યુ પછી રાજકારણમાં સક્રિય થઈ. કોંગ્રેસ પાર્ટીએ તેમને 1962માં મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રત્નાગિરી લોકસભાથી ટિકિટ આપી હતી. શારદા મુખર્જીએ અહીં સારી જીત નોંધાવી હતી. તેમણે પ્રજા સમાજવાદી પાર્ટીના અર્જુન વિચારેને હરાવ્યા હતા. તે ફરી એકવાર 1967માં રત્નાગીરી લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા  હતા અને જનસંઘના આર.વી. કાલસેકરને હરાવ્યા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સંસદના સભ્ય તરીકે, રાષ્ટ્રીય શિપિંગ બોર્ડના સભ્ય, સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિ, રાષ્ટ્રીય નાની બચત યોજના સલાહકાર બોર્ડ. તેણીએ આ બોર્ડમાં ઘણી મહત્વની સલાહ પણ આપી હતી.967માં કોંગ્રેસનું વિભાજન થયા બાદ તેમનો ઝુકાવ જનતા પાર્ટી તરફ હતો. 1977માં દેશમાં જનતા પાર્ટીની સરકાર રચાયા બાદ શારદા મુખર્જીને 5 મેના રોજ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એક વર્ષ પછી, તેમની ગુજરાતના રાજ્યપાલ તરીકે બદલી કરવામાં આવી. તેઓ 1983 સુધી ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા. વિશ્વના ઘણા દેશોની મુલાકાત લઈ ચૂકેલા શારદા મુખર્જી અખબારોમાં સંરક્ષણ બાબતો પર લખતા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">