CM Keshubhai Patel: બે વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ગુમાવ્યું મુખ્યમંત્રી પદ

Keshubhai Patel  Gujarat CM Full Profile in Gujarati : તેમણે માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું

CM Keshubhai Patel: બે વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા,  ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ગુમાવ્યું મુખ્યમંત્રી પદ
Gujarat CM keshubhai patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 2:50 PM

Keshubhai Patel  Gujarat CM Full Profile in Gujarati :  કેશુભાઈ  પટેલે ( keshu bhi patel ) , તેમણે માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી  (Gujarat Governor) તરીકે સેવા આપી હતી. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ 2001 ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે તેમણે પદ ગુમાવવું  પડ્યું અને  ત્યાર બાદ નરેન્દ્ર મોદીને  મુખ્યમંત્રી બનાવ્યા હતા.

અંગત જીવન (Personal Life)

કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928 માં  થયો હતો અને તેમનું મૃત્યુ  29 ઓક્ટોબર 2020માં થયું  હતું.    તેઓ મૂળ વિસાવદના છે.   તેમણે પ્રાથમિક અભ્યાસ પત્નીનું નામ લીલાબહેન હતું. આ દંપતીને પાંચ પુત્રો અને એક પુત્રી હતા.21  સપ્ટેમ્બર 2006ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળતા આ  ઘટનામાં  મૃત્યુ પામ્યા હતા

રાજકીય કારર્કિર્દી (political Carrear)

કેશુભાઈ એક સમયે ભાજપના વરિષ્ઠ નેતામાં સમાવેશ  પામતા આ નેતાએ રાજકોટથી  રાજકીય કારર્કિર્દી શરૂ કરી હતી. રા જકોટ મ્યુનિસિપાલિટી અને બાદમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી લડીને ચૂંટણીના રાજકારણમાં તેમની સફરની શરૂઆત કરી હતી. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જનસંઘના કાર્યકર તરીકે કરી હતી, જેમાંથી તેઓ 1960ના દાયકામાં સ્થાપક સભ્ય હતા. તેઓ 1972માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વાંકાનેર (વિધાનસભા મતવિસ્તાર)માંથી કોંગ્રેસ સામે હારી ગયા હતા. 1975 માં, તેઓ રાજકોટ વિધાનસભા મતદારક્ષેત્રમાંથી જીત્યા અને 1978 થી 1980 સુધી મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલની આગેવાની હેઠળ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (સંગઠન) ની BJS સમર્થિત સરકારમાં સિંચાઈ મંત્રી બન્યા. કટોકટી દરમિયાન, પટેલ ગુજરાતના 3,500 લોકોમાં સામેલ હતા જેમને આંતરિક સુરક્ષા કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેઓ 1979ના મચ્છુ ડેમની નિષ્ફળતા બાદ રાહત કાર્યમાં સામેલ થયા હતા. ગુજરાતમાં તેમનો  મુખ્યમંત્રી તરીકેનો કાળ  માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001  સુધીનો  રહ્યો હતો. 2 ઓક્ટોબર 2002ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહીવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ 2001 ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. વર્ષ 2022માં  તેઓ રાજ્ય સભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.  2007ની ચૂંટણીના સમયે તેમણે તેમના જૂથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી, પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી  આ ચૂંટણીમાં જીતી ગયા હતા અને કેશુભાઈએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના

4 ઓગસ્ટ 2012ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી 2014માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી 13  ફેબ્રુઆરી 2014ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. 24 ફેબ્રુઆરી 2014 ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું હતું હતું

વિશેષ સિદ્ધી

26 જાન્યુઆરી 2021ના રોજ તેમને ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મભૂષણ પુરસ્કાર  એનાયત કરાયો હતો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">