Balram Jakhar Profile: લોકસભામાં લાંબો સમય સ્પીકર પદે રહી સંસદની કાર્યપદ્ધતિને આધુનિક બનાવી

Balram Jakhar Gujarat Governor Full Profile in Gujarati: ડૉ. બલરામ જાખડ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા હતા. તેઓ મધ્યપ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.

Balram Jakhar Profile: લોકસભામાં લાંબો સમય સ્પીકર પદે રહી સંસદની કાર્યપદ્ધતિને આધુનિક બનાવી
Balram Jakhar Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 7:43 AM

ડૉ. બલરામ જાખડ ( Gujarat Governor Balram Jakhar) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) પક્ષના વરિષ્ઠ નેતા હતા. ભારતના ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ હોવા ઉપરાંત તેઓ મધ્યપ્રદેશ અને  ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.  તેમણે રાજસ્થાનના સિકર જિલ્લામાંથી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને 1980થી 10 વર્ષ સુધી લોકસભાના અધ્યક્ષ  પદે રહ્યા હતા.  તેઓ ભારતની લોકસભામાં સૌથી લાંબા સમય માટે સ્પીકર પદે રહ્યા હતા. લોકસભાના સ્પીકર તરીકે તેમણે સંસદીય કાર્યોના ઓટોમેશન અને કમ્પ્યુટરાઈઝેશનને પ્રોત્સાહન આપ્યું. તેમણે સંસદના સભ્યોના જ્ઞાન અને ઉપયોગ માટે સંસદ પુસ્તકાલય, સંદર્ભ, સંશોધન, દસ્તાવેજીકરણ અને માહિતી સેવાઓને પ્રોત્સાહન આપ્યું. કોમનવેલ્થ પાર્લામેન્ટેરિયન એક્ઝિક્યુટિવ ફોરમના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ એશિયન હતા.

અંગત જીવન (Personal Life)

બલરામ જાખડનો જન્મ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના પંજકોસી ગામમાં 23 ઓગસ્ટ 1923ના રોજ એક પંજાબી હિંદુ જાટ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી રાજારામ જાખડ હતા અને માતાનું નામ પટ્ટોદેવી જાખડ હતું.

શિક્ષણ (Education )

બલરામ  જાખડે  1945માં લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાંથી સંસ્કૃતમાં ડિગ્રી મેળવી હતી. તેમને અંગ્રેજી, પંજાબી, ઉર્દૂ, સંસ્કૃત અને હિન્દી ભાષાઓનું જ્ઞાન હતું.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રાજકીય કારર્કિર્દી(Political Career)

કોંગ્રેસ પક્ષના આજીવન સભ્ય, જાખરે 1965માં ભારતીય કૃષક સમાજ, નામના ખેડૂતોના સંગઠનની સ્થાપના કરી હતી. તેઓ 1972માં પંજાબ વિધાનસભામાં ચૂંટાયા હતા અને 1977માં વિપક્ષના નેતા બનીને ફરી ચૂંટાયા હતા. ત્યાર બાદ તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ 1980માં ફિરોઝપુરથી સાતમી લોકસભા અને 1984માં સીકરથી આઠમી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ગૃહમાં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. વધુમાં, લોકસભાના સ્પીકર તરીકે બે વાર સેવા આપી, ભારતીય સંસદના ઇતિહાસમાં  તેમના ફાળે  એક દુર્લભ સિદ્ધિ નોંધાયેલી છે કે તેઓ વર્ષ  1980 થી 1989 સુધી સ્પીકર પદે રહ્યા હતા અને   ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર સ્પીકર બન્યા. લોકસભાના સ્પીકર તરીકે તેમણે સંસદીય કાર્યોના ઓટોમેશન અને કમ્પ્યુટરાઈઝેશનને પ્રોત્સાહન આપ્યું. તેમણે સંસદના સભ્યોના જ્ઞાન અને ઉપયોગ માટે સંસદ પુસ્તકાલય, સંદર્ભ, સંશોધન, દસ્તાવેજીકરણ અને માહિતી સેવાઓને પ્રોત્સાહન આપ્યું. સંસદ સંગ્રહાલયની સ્થાપના તેમનું યોગદાન હતું. કોમનવેલ્થ પાર્લામેન્ટેરિયન એક્ઝિક્યુટિવ ફોરમના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા તેઓ પ્રથમ એશિયન હતા.

2004માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં પરત ફર્યા બાદ, તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 30 જૂન 2004 થી 30 મે 2009 સુધી તેઓ આ પદ પર હતા.  તો 03/07/2004 થી  23/07/2004 સુઘી ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્ત હતા.  તેમનું  અવસાન  03/02/2016 ના રોજ 93 વર્ષની વયે  થયું હતું.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">