AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે.

Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક
દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક
| Updated on: Jun 10, 2021 | 10:02 AM
Share

જ્યારે ભારત કોરોના(Corona) રોગચાળાની બીજી લહેર હેઠળ છે અને ત્રીજી લહેરની આશંકા છે. તેવા સમયે કોરોના વેક્સિન( Corona Vaccine) મુદ્દે લોકો સુધી પહોંચતી ખોટી માહિતી અને ગેરવહીવટનો એક વિચિત્ર કિસ્સો ભારતના રસીકરણ કાર્યક્રમની ગતિને ધીમી કરી રહ્યું હોવાનું સામે આવ્યો છે.

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે. જેના કારણે દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી, જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી.

મહારાષ્ટ્રમાં 1.65 લાખ ડોઝનો બગાડ 

મહારાષ્ટ્રમાં લગભગ 1.65  લાખ ડોઝ રસીનો બગાડ થયો છે. ત્યારે કેરળમાં 6.33 લાખ શીશી, રાજસ્થાનમાં 4. 76 લાખ શીશી, આંધ્રપ્રદેશમાં 2.25 લાખ શીશી, તેલંગાણામાં 1.82 લાખ શીશીઓ, દિલ્હીમાં 1.82 લાખ શીશી, છત્તીસગઢમાં 1.55 લાખ શીશી, પંજાબમાં 1.43 લાખ શીશી અને ઝારખંડમાં 51 હજાર શીશી વેક્સિનનો બગાડ થયો છે.

જેમાં કેટલાક રાજ્યોમાં વેક્સિનનો બગાડ 3.5 ટકા જેટલો વધી ગયો છે. રાજસ્થાનમાં ચુરુ અને હનુમાનગઢમાં પણ કોરોના વેક્સિનની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. તેમજ વેક્સિનના બગાડ બાદ પણ પૂરતા તબીબી પ્રોટોકોલ્સ અનુસાર યોગ્ય રીતે તેનો નિકાલ કરવામાં આવતો નથી. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી. જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલાક નેતાઓએ આ રસીઓને ભાજપની રસી ગણાવી

વિપક્ષી પક્ષોની ભૂમિકા પણ લોકોને રસી લેવા પ્રોત્સાહન આપવાની છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતાએ આ રસીઓને “ભાજપની રસી”ગણાવી હતી અને ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષના કાર્યકરો અને તેમના પરિવારોને રસી લેતા અટકાવ્યા હતા.

જો કે મહિના પછી આજ લોકોએ રાજ્યમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને રસી નથી મળી, તેના કારણે રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે દરેકને રસી આપવામાં નથી આવતી ત્યારે પરીક્ષાઓ ના લેવી જોઈએ.

પંજાબમાં 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો

જ્યારે નફાખોરીની ઘટના પ્રકાશમાં આવી ત્યારે પંજાબે દેશને આશ્ચર્યમાં મૂકી દીધું. જે રસી રાજ્ય સરકારને 309 રૂપિયામાં આવવા આવતી હતી, તે ખાનગી હોસ્પિટલોમાં 1,500 રૂપિયામાં આપવામાં આવતી હતી. જ્યારે સરકારી આંકડા મુજબ 45 વર્ષથી વધુ વયના માત્ર 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ 45 વર્ષથી વધુની વસ્તીના રસીકરણમાં કોઈ સારું પ્રદર્શન નથી થયું.જેમાં ફક્ત 40 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે તેલંગાણામાં આ આંકડો 39 ટકાનો છે. આ રાજ્યોની નિરાશાજનક અને દિશા વિહીન કામગીરી સામે રસીકરણ મેનેજમેન્ટમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">