Union Cabinet Meet: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજાશે, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ

Union Cabinet Meet: શિવસેના અને શિરોમણી અકાલી દળ (એસએડી) ની બહાર નીકળ્યા પછી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નેતા રામવિલાસ પાસવાનના અવસાન બાદ મંત્રીમંડળમાં અનેક જગ્યાઓ ખાલી છે.

Union Cabinet Meet: કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજાશે, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
PM MODI-AMIT SHAH
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 6:15 PM

Union Cabinet Meet: શિવસેના અને શિરોમણી અકાલી દળ (એસએડી) ની બહાર નીકળ્યા પછી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નેતા રામવિલાસ પાસવાનના અવસાન બાદ મંત્રીમંડળમાં અનેક જગ્યાઓ ખાલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય પ્રધાનોની તાજેતરની બેઠક બાદ કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવારે મળશે. કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તરણ અને ફેરબદલની અટકળો વચ્ચે આ પ્રધાનમંડળની બેઠક યોજાનાર છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એક અધિકારીએ કહ્યું કે કેબિનેટની બેઠક સવારે 11 વાગ્યે યોજાશે.

આ મહિને દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની એક પછી એક બેઠક બાદ અટકળોનો માહોલ છવાયો છે. આ મહિનાની શરૂઆતમાં, પીએમ મોદીએ વિવિધ મંત્રાલયો દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા કામકાજનો હિસ્સો લેવા વિવિધ જૂથોમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે લગભગ 5 બેઠકો કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વર્ષ 2019માં સતત બીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમના પ્રધાનમંડળમાં કોઈ વિસ્તરણ કર્યું નથી. એએનઆઈ અનુસાર, અગાઉ ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે પાર્ટીના કેટલાક મોટા નેતાઓ અને એનડીએ જોડાણના સભ્યોને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સંભવ છે કે આસામના પૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ અને વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે. સોનોવાલ પણ ભાજપના નેતાઓને મળવા ગયા અઠવાડિયે દિલ્હી પહોંચ્યા હતા.

તાજેતરમાં, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ પીએમ મોદીને મળ્યા હતા. શિવસેના અને શિરોમણી અકાલી દળ (એસએડી) ની બહાર નીકળ્યા પછી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નેતા રામવિલાસ પાસવાનના અવસાન બાદ મંત્રીમંડળમાં અનેક જગ્યાઓ ખાલી છે. આ સિવાય ઘણા મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર થવાની સંભાવના છે.

જેડીયુ અને અપના દળને સ્થાન મળી શકે છે

એવું પણ માનવામાં આવે છે કે બિહારમાં એનડીએના સાથી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) પણ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ભાગ માંગે છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહે સોમવારે કહ્યું હતું કે જ્યારે પણ કેબિનેટ વિસ્તરણ થશે ત્યારે પાર્ટીને તેમાં ચોક્કસ સ્થાન મળશે અને તેમાં કોઈ શંકા નથી.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘અપના દળ’ ને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તાજેતરમાં અપના દળના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે પણ અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. વડા પ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં પટેલ કેન્દ્ર સરકારમાં પ્રધાન હતા, પરંતુ અપના દળના નેતાને બીજી ટર્મમાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">