Modi Cabinet Expansion : ગુજરાતમાંથી આ ત્રણ નવા ચહેરાને મળી શકે છે મોદી મંત્રીમંડળમાં સ્થાન

|

Jul 07, 2021 | 5:27 PM

ગુજરાતમાંથી હાલ મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવી શકે છે.

Modi Cabinet Expansion : ગુજરાતમાંથી આ ત્રણ નવા ચહેરાને મળી શકે છે મોદી મંત્રીમંડળમાં સ્થાન
Gujarat MP Darshana Jardosh, Mahendra Munjpura And Devusinh Chauhan (File Photo )

Follow us on

કેન્દ્રની મોદી( Modi ) સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જેમાં દેશના અનેક રાજયોમાં નવા ચહેરાને મંત્રીપદ આપવામાં આવી શકે છે. જેમાં ગુજરાત( Gujarat )માંથી પણ ત્રણ નવા નેતાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ સાંજે થવાનું છે. જો કે તે પૂર્વે જ ઘણા નેતાઓ બે દિવસથી દિલ્હી છે. તેમજ પીએમ મોદીએ મંત્રીમંડળમાં સ્થાન પામનારા આ નેતા સાથે આજે બેઠક પણ કરી છે. જો કે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરામાં સુરતના મહિલા સાંસદ દર્શના જરદોષ, સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપુરા અને ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણને સ્થાન મળી શકે છે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ગુજરાત( Gujarat )માંથી હાલ મોદી મંત્રીમંડળમાં સ્થાન પામેલા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સરકારે નવા સહકાર મંત્રાલયની જાહેરાત કરી

કેન્દ્રની મોદી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઇ રહ્યું છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ પૂર્વે સરકારે નવા સહકાર(Co Operative)  મંત્રાલયની જાહેરાત કરી છે. જેના પગલે એ શક્યતા પ્રબળ બની છે આ મંત્રાલયમાં ગુજરાતી નેતાને સ્થાન આપવામાં આવશે. જેમાં પીએમ મોદી(PM Modi) અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સહકાર મોડેલના હંમેશા વખાણ કર્યા છે. તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે પણ પ્રયાસો ર્ક્યા છે. જેના પગલે આજે વિસ્તરણ થનારા મોદી મંત્રીમંડળમાં સહકારી ક્ષેત્રના ગુજરાતી  નેતાને મંત્રીપદ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા  છે.

આ ઉપરાંત હાલમાં પીએમ મોદીના મંત્રીમંડળમાં બે ગુજરાતી નેતા મનસુખ માંડવીયા અને પુરષોત્તમ રૂપાલા છે. જેમાં હાલ પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તેથી શક્ય છે કે સરકારે જાહેર કરેલા નવા સહકાર મંત્રાલયની જવાબદારી પરષોત્તમ રૂપાલાને કૃષિ મંત્રાલયમાંથી મુકત કરીને સોંપવામાં આવી શકે છે અથવા તો કોઇ બીજા સહકારી આગેવાન નેતાને ગુજરાતમાંથી મંત્રી પદ આપી શકે છે. જેમાં જોવા જઇએ ઘનશ્યામ અમીન, નરહરી અમીન, અજય હરિભાઈ પટેલ, શંકર ચૌધરી અથવા દિલીપ સંઘાણીને પણ નવા ચહેરા તરીકે સ્થાન આપી શકે છે.

આ પણ  વાંચો : Gandhinagar: મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દા પર થઇ શકે છે ચર્ચા

આ પણ  વાંચો : Delhi: પૂર્વ કેન્દ્રીય પ્રધાનની પત્નીની પોતાના ઘરમાં જ થઈ હત્યા, ઘરકામ કરતા વ્યક્તિની કરાઈ ધરપકડ

Published On - 4:35 pm, Wed, 7 July 21

Next Article