શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે.

શરદ પવારે અમિત શાહની કરેલી મુલાકાતથી કોંગ્રેસ અકળાયુ, કહ્યુ દેશને જણાવે શુ વાત થઈ ?
શરદ પવાર - અમિત શાહ
Follow Us:
| Updated on: Mar 29, 2021 | 10:37 AM

એનસીપીએ કહ્યુ ભાજપ ફેલાવે છે અફવા, અમિત શાહે કહ્યું બધુ જાહેર ના કરાય

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP )ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ ગુપ્ત મુલાકાતના સમાચાર બહાર આવતા જ રાજકારણ ગરમાયુ છે. એક તરફ એનસીપી આ ગુપ્ત બેઠકના અહેવાલોને નકારી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓ આ ગુપ્ત બેઠક સામે સવાલ ઉભા કરી રહી છે. કોંગ્રેસના (CONGRESS) નેતાએ કહ્યુ છે કે, જો કોઈ મોટા નેતા, દેશના ગૃહપ્રધાન સાથે મુલાકાત કરે તો તેમણે દેશને બતાવવું જોઈએ અને આ બાબતે જાણવાનો દેશની જનતાનો અધિકાર છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ( NCP ) સુપ્રિમો શરદ પવારે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે કરેલ મુલાકાત બબાતે કોંગ્રેસના નેતા સંદિપ દિક્ષીતે ( SANDEEP DIXIT ) પુછ્યુ છે કે, જો કોઈ રાજકીય પક્ષના વરિષ્ઠ નેતા, કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનને મળે તો દેશની જનતાનો એ અધિકાર છે કે મુલાકાત કયા મુદ્દે થઈ. મુલાકાતમાં શુ વાતચીત થઈ. કેમ મુલાકાત કરવાની જરૂર પડી. જો કે એનસીપી આ મુલાકાતના સમાચારને જ રદીયો આપી રહ્યુ છે.

એનસીપી (NCP)ના નેતા નવાબ મલિકે ( NAWAB MALIK ) ગુપ્ત મુલાકાત અંગે વહેતા થયેલા સમાચાર બાબતે કહ્યુ કે, ગુજરાતના એક અખબારમાં આ સમાચાર પ્રગટ થયા છે. કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરી. પાછલા બે દિવસથી આ મુદ્દે ટવીટ દ્વારા અફવા ફેલાવાઈ રહી છે. આવી કોઈ મુલાકાત બન્ને નેતાઓ વચ્ચે થઈ નથી. ગુપ્ત મુલાકાત અંગેના સમાચાર ઉપર પૂર્ણ વિરામ મુકવા અંગે નવાબ મલિકે કહ્યું કે, ભાજપ આ મુદ્દે અફવા ફેલાવી રહ્યુ છે. શાહ પવાર વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જયપુરથી સીધા મુંબઈ આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એનસીપીના બન્ને કદાવર નેતાઓ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ શુક્રવારે સાંજે અમદાવાદ પહોચ્યા હતા. ત્યાર બાદ બન્ને નેતાઓ ગાંધીનગર ગયા હતા. જ્યા એવુ કહેવાઈ રહ્યુ છે કે, ગાંધીનગરમાં પવાર અને પટેલ ગુપ્ત મુલાકાત કરી હતી. અમિત શાહ સાથે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલે કરેલી મુલાકાત અંગેના સમાચારને ગતી ત્યારે મળી જ્યારે પત્રકારોએ આ ગુપ્ત બેઠક અંગે પુછતા અમિત શાહ એવુ કહ્યું કે, બધુ જાહેર ના કરાય. અમિત શાહના આ જવાબ બાદ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

Latest News Updates

આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
g clip-path="url(#clip0_868_265)">