પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત તો કરી દીધી પણ કાર્યકર્તાઓ જ નથી મળી રહ્યાં!

ડૉ.પ્રવિણ તોગડીયાએ વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઇને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો બનાવી લીધી સાથે અલગ રાજકીય પાર્ટી બનાવીને લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પણ તેમની પાસે હવે કાર્યકર્તાઓનો અભાવ છે. ડૉ.પ્રવિણ તોગડીયાને પણ લાગ્યુ રાજનીતિક ગ્રહણ ચૂંટણી છે ત્યારે તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાની તાકાત મજબુત કરવા માટે કાર્યકર્તાઓને પોતાની સાથે જોડતી હોય છે. […]

પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત તો કરી દીધી પણ કાર્યકર્તાઓ જ નથી મળી રહ્યાં!
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Mar 28, 2019 | 11:02 AM

ડૉ.પ્રવિણ તોગડીયાએ વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થઇને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તો બનાવી લીધી સાથે અલગ રાજકીય પાર્ટી બનાવીને લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પણ તેમની પાસે હવે કાર્યકર્તાઓનો અભાવ છે.

ડૉ.પ્રવિણ તોગડીયાને પણ લાગ્યુ રાજનીતિક ગ્રહણ ચૂંટણી છે ત્યારે તમામ રાજનીતિક પાર્ટીઓ પોતાની તાકાત મજબુત કરવા માટે કાર્યકર્તાઓને પોતાની સાથે જોડતી હોય છે. જેમાં ઘણી વખત મોટા નેતાઓ પણ જોડાતા હોય છે, ત્યારે ડૉ.પ્રવિણ તોગડીયાના સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે(AHP) હવે પોતાની તાકાત મજબુત કરવા માટે ભરતી અભિયાનની શરુઆત કરી છે.

જેના માટે શહેરના વિવિધ વિસ્તારમાંથી ભરતી અભિયાન માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. એક સમયે હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જાણીતા એવા ડૉ.પ્રવિણ તોગડીયાએ જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે નાતો તોડ્યો છે ત્યારથી લાગે છે કે તેમના રાજનીતિક ભવિષ્ય સામે ગ્રહણ લાગી ગયુ છે. એક સમયે તેમના નામે હજારો લોકો એકત્ર થઈ જતા હતા પણ હવે તેમની પાર્ટીને પણ કાર્યકર્તાઓની શોધ ચલાવવી પડી રહી છે, દાવો છે કે સંઘના જુના લોકો AHP સાથે જોડાઇ રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઠેર ઠેર લાગ્યા ભરતી અભિયાનના પોસ્ટર્સ

અમદાવાદના નારોલ, શાહવાડી, દાણીલિમડા જેવા વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નામે પોસ્ટર્સ લગાવાયા છે. જેમાં સ્પષ્ટ પણે ભરતી અભિયાન હોવાનું લખેલુ છે, એટલે કે હવે કાર્યકર્તાઓની શોધ શરુ કરી દેવામાં આવી છે. AHPના પ્રવક્તા નિરજ વાઘેલાએ કહ્યું કે જ્યારથી ડૉ.પ્રવિણ તોગડીયાએ અલગ સંસ્થા બનાવી છે.

ત્યારથી ભાજપથી નારાજ ,સંઘ અને પરિષદથી નારાજ કાર્યકર્તા, સદસ્યો અને વરિષ્ઠ નેતાઓ AHPમાં જોડાઇ રહ્યા છે. પ્રવિણ તોગડીયાએ હિન્દુસ્થાન નિર્માણ દળ નામની રાજકીય પાર્ટી બનાવી છે. દાવો છે કે જો જલ્દી જ AHP મોટુ સંગઠન બનાવીને ભાજપને મોટો આંચકો આપવાની રણનીતિ બનાવી રહી છે.

ગુજરાતમાં નહી થાય સફળ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે દેશમાં લોકશાહી છે અને કોઈ પણ વ્યક્તિ પોતાનુ સંગઠન બનાવી શકે છે. કાયદા અનુસાર સદસ્યો બનાવી શકે છે અને ચૂંટણી પણ લડી શકે છે. ગુજરાતમાં મતદારોએ ક્યારેય ત્રીજા વિકલ્પને પસંદ કર્યો નથી.

જ્યારે હવે ભાજપ જ દેશમાં સરકાર બનાવશે, બીજા કોઈને સ્થાન નથી, ઉલ્લેખનીય છે કે હવે પ્રવિણ તોગડીયાની પાર્ટી ગુજરાત સહિત દેશભરમાં હિન્દુત્વના મુદ્દે ચૂંટણી લડશે અને વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ડૉ.પ્રવિણ તોગડીયા ચૂંટણીમાં ઉતરશે તેવી જાહેરાત કરી ચૂક્યા છે.

સ્વયંસેવક કોઈ રાજનીતિક પાર્ટીમાં નથી જોડાતો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચારક વિજય ઠાકરએ જણાવ્યુ કે સંઘના કોઇ વ્યક્તિ રાજકીય પાર્ટીમાં જોડાતા નથી, તેઓ માત્ર વિચારધારાને પ્રચારિત અને પ્રસારિત કરવાનુ કામ કરે છે. જેથી જો કોઇ એવો દાવો કરતુ હોય કે, કોઈ સંઘના કોઇ હોદ્દેદાર કે પદાધિકારીઓ અન્ય સંગઠનનમાં જોડાયા છે તો વાતમાં દમ નથી, હા સંગઠન છોડીને કેટલાક લોકો અલગ જરુર થાય છે, પણ તેનાથી સંઘ કે રાષ્ટ્રવાદી વિચારધારાને કોઈ નુકશાન નહી થાય.

નથી મળી રહ્યા કાર્યકર્તા

ડૉ.પ્રવિણ તોગડીયા જ્યારથી વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા ત્યારથી તેમના સમર્થકો જાણે ખુબ ઓછા થઈ ગયા છે. તેમના કાર્યક્રમોમાં પણ ઓછી હાજરી જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં ભરતી કાર્યક્રમમાં કોઈ મોટી સફળતા મળી રહી નથી. ગુજરાતમાં હિન્દુ સ્થાન નિર્માણ દલ 9 બેઠકો ઉપર ચૂંટણી લડશે પણ તેની પાસે હવે કાર્યકર્તાઓની અછત છે એટલે કે સેનાપતિ તો છે, પણ સેના નથી, અને એ જ ચિંતા હાલ AHPને પણ સતાવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">