ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિચિત્ર આક્ષેપ કરતા કહ્યું કે, વિપક્ષ મારક શક્તિ દ્વારા પ્રહાર કરી રહ્યું છે
પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભામાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ પર એક વિચિત્ર આક્ષેપ કર્યો છે. સાંસદ પ્રજ્ઞાએ કહ્યું કે, સમય ખરાબ ચાલી રહ્યો છે. અને ભાજપ પર મારક શક્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ચૂંટણી સમયે એક મહારાજ મારી પાસે આવ્યા અને મને […]
પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભામાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ પર એક વિચિત્ર આક્ષેપ કર્યો છે. સાંસદ પ્રજ્ઞાએ કહ્યું કે, સમય ખરાબ ચાલી રહ્યો છે. અને ભાજપ પર મારક શક્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ચૂંટણી સમયે એક મહારાજ મારી પાસે આવ્યા અને મને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, સમય બહુ ખરાબ છે અને વિપક્ષના નેતાઓ ભાજપના નેતાઓ પર મારક શક્તિનો પ્રયોગ કરી રહ્યા છે. આવા સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. વિપક્ષની આ મારક શક્તિનો પ્રયોગ ભાજપના એવા નેતા પર થશે જે પાર્ટીમાં મોટું કદ ધરાવે છે.
@INCMP @INCIndia हमारे नेताओं के लिये कर रहा है मारक ताक़त का प्रयोग @SadhviPragya_MP का बयान @narendramodi @shailgwalior @manishndtv #Pragyathakur #BJP @ndtvindia @AunindyoC pic.twitter.com/ZJkfvxMP0P
— Anurag Dwary (@Anurag_Dwary) August 26, 2019
પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું કે, મહારાજે મને આ વાત કરી ત્યારે હું પ્રચારમાં હતી અને ભૂલી ગઈ હતી. પરંતુ સુષમાજી, અરૂણજી જે પ્રકારે પીડા સહન કરીને મૃત્યુ પામ્યા તે પછી મને અંદાજો થયો કે મહારાજની વાત સાચી હોઈ શકે છે. સાચુ છે કે, આપણી વચ્ચેથી સતત નેતાઓ જઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આવા તંત્ર મંત્રની વાત બાદ પ્રજ્ઞાસિંહ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. અને ભાજપના નેતાઓને પણ જવાબ આપવા પડી રહ્યા છે. સમગ્ર વિવાદ બાદ મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન જયવર્ધન સિંહે નિવેદન આપ્યું કે, આ દુઃખદ વાત છે. એક સાંસદ આવા નિવેદન આપી રહ્યા છે. પ્રજ્ઞા ઠાકુરે પોતાના શબ્દ પાછા લેવા પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]