AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ

ઘણી વખત પોલીટીકલ પાર્ટીઓના કાર્યકર્તાઓના અતિ-ઉત્સાહના કારણે નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના શંકરસિંહ વાઘેલા સાથે બની રહી છે. થઈ એવું રહ્યું છે કે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સંગઠને શરદ પવારને પત્ર લખીને શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાની માગ કરી રહ્યાં છે જેના કારણે શંકરસિંહ વાઘેલાને હવે ચૂંટણી નહીં […]

શંકરસિંહ વાઘેલાનું રાજકીય કરિયર કોણ ખતમ કરી દેવા માગે છે? NCPમાં શીત-યુદ્ધ ચરમસીમાએ
Anil Kumar
| Edited By: | Updated on: Mar 25, 2019 | 5:22 PM
Share

ઘણી વખત પોલીટીકલ પાર્ટીઓના કાર્યકર્તાઓના અતિ-ઉત્સાહના કારણે નેતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ ઘટના શંકરસિંહ વાઘેલા સાથે બની રહી છે.

થઈ એવું રહ્યું છે કે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ સંગઠને શરદ પવારને પત્ર લખીને શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડાવવાની માગ કરી રહ્યાં છે જેના કારણે શંકરસિંહ વાઘેલાને હવે ચૂંટણી નહીં લડવા અગે વાર વાર ખુલાસો કરવાની ફરજ પડી રહી છે.

ગાંધીનગરથી શંકરસિંહ વાઘેલા અને રાજકોટથી પ્રફુલ પટેલને ઇલેક્શન લડાવવા લખાયો પત્ર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશનો આ પત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે ચર્ચાનો વિષય એટલા માટે કે આ 2 પાનાનો પત્ર એનસીપી પ્રમુખ શરદ પવારના નામે લખાયો છે. જેમાં પોરબંદર,પંચમહાલ, રાજકોટ અને ગાંધીનગર સીટ ઉપર પોતાના કદ્દાવર નેતાઓ ઇલેક્શન લડે તેવી માંગ કરાઇ છે. વધુમાં કોંગ્રેસ સાથે ગંઠબંધન થાય તેવી માગ કરી છે.  મહત્વની વાત એ છે કે હવે ગુજરાતના કાર્યકર્તાઓએ ઇચ્છા વ્યક્ત કરી છે કે ગાંધીનગરથી પાર્ટીના મહાસચીવ શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે તો મોટો ફાયદો થઇ શકે છે, તો રાજકોટથી પ્રફુલ પટેલ લડે તો સ્થિતિમાંં ફેર પડી શકે છે.

શંકરસિંહ વાઘેલા કરી ચુક્યા છે ચૂંટણી લડવાનો ઇન્કાર

આમ તો શંકરસિંહ વાઘેલા પહેલાં જ ચૂંટમી લડવાનો ઇન્કાર કરી ચુક્યા છે છતાં જે રીતે માગ કરાઇ છે તેને જોઇને લાગે છે સ્થાનિક યુનિટ અને શંકરસિંહ વચ્ચે મતભેદો સ્પષ્ટ દેખાય છે. સુત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં એનસીપી મધ્યપ્રદેશવાળી કરવા જઇ રહી છે એટલેકે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે મુશ્કેલ સીટ ઉપરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિહને ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો હતો. જેને દિગ્વિજય સિંહે સ્વીકારી લીધો છે પણ ગુજરાતનો કેસ થોડો અલગ છે. અહી તો શંકરસિહ વાઘેલાએ ચૂંટણી લડવા નનૈયો ભણી દીધો છે.

શંકરસિંહ વાઘેલાનુ રાજકારણ ખતમ કરવામાં કોને છે રસ?

આમ રાજકીય નિષ્ણાંતો માને છે કે જે રીતે એનસીપીની સ્થાનિક યુનિટે શંકરસિંહ વાઘેલાનાના નામ ઉપર જોર આપ્યુ છે.  તેનાથી સ્પષ્ટ લાગે છે કે બન્ને વચ્ચે શીત યુધ્ધ ચાલી રહ્યું છે. સ્થાનિક સંગઠન ઇચ્છે છે કે જો શંકરસિંહ વાઘેલા અને પ્રફુલ પટેલ ગુજરાતમાં ચૂંટણી લડે તો એનસીપી માટે હાઇ પ્રોફાઇલ રાજનિતીક લડાઇ શકે છે. જેમાં એનસીપીના આ બન્ને નેતાઓ જીતે તેવી સંભાવના તો ઓછી છે. જો હારે તો કમ સે કમ શંકરસિંહ વાઘેલાનો ઘડો લાડવો કરી શકાય તેવા પુરતી સંભાવનાઓ તો છે એટલેકે તેમના રાજનીતિક ભવિષ્ય સામે પુર્ણ વિરામ મુકી જ શકાય.

શીત-યુદ્ધના કારણે કાર્યકર્તાઓ પરેશાન

સુત્રોનું માનીએ તો જયારથી શંકરસિહ વાઘેલા એનસીપીમાં આવ્યા છે ત્યારથી તેઓ એનસીપીના સંગઠનમાં મોટા ફે ફાર કરવા માગે છે. જેમા પ્રદેશ પ્રમુખ જયંત પટેલને પણ તેઓ બદલવા માંગે છે. આ બાબતને  લઈને હવે જંયત પટેલનો જુથ નારાજ છે જેથી માનવામા આવે છે કે બન્ને વચ્ચે શિત યુધ્ધ ચાલી રહ્યું છે.   શિત યુધ્ધના કારણે જ આ પત્ર શરદ પવારને લખાયો છે. આ બંને નેતાઓના શીત-યુદ્ધની વચ્ચે કાર્યકર્તાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">