24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે
ભાજપ મંગળવાર 24 ડિસેમ્બરના રોજ પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરશે. મંગળવારના રોજ અટલ બિહારી વાજપેયીની જયંતિ છે. આ જયંતિને લઈને ભાજપે પોતાના કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કર્યા છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ […]
ભાજપ મંગળવાર 24 ડિસેમ્બરના રોજ પાર્ટીના સંસ્થાપક અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કરશે. મંગળવારના રોજ અટલ બિહારી વાજપેયીની જયંતિ છે. આ જયંતિને લઈને ભાજપે પોતાના કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ગુજરાતની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ
ભાજપ અટલજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવી રહી છે
ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે ભાજપ આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવશે. આ દિવસે કાવ્યાંજલિનું આયોજન કરવામાં આવશે. દેશભરમાં ભાજપે આ પ્રકારે આયોજન કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 16 ઓગસ્ટના રોજ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પીએમ મોદી લખનઉ ખાતે અટલજીની પ્રતિમાનું અનાવરણ 25 ડિસેમ્બરના રોજ કરશે. અટલજીની જયંતિની પર 3 દિવસીય કાર્યક્રમનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી 25 મિનિટનું સંબોધન પણ કરશે. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]