AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SOUTHના સુપર સ્ટાર અને નવા-નવા રાજકારણી કમલ હાસને શું કાશ્મીર પર આવું નિવેદન આપી મોટી ભૂલ કરી ?

ભારતના નક્શામાં જે કાશ્મીર મુગટની જેમ શોભે છે તે કાશ્મીર આખું ભારત પાસે નથી, કારણ કે તેનો કેટલોક ભાગ પાકિસ્તાને પચાવી પાડ્યું છે. TV9 Gujarati   Web Stories View more શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ? અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો […]

SOUTHના સુપર સ્ટાર અને નવા-નવા રાજકારણી કમલ હાસને શું કાશ્મીર પર આવું નિવેદન આપી મોટી ભૂલ કરી ?
Follow Us:
| Updated on: Feb 18, 2019 | 8:50 AM

ભારતના નક્શામાં જે કાશ્મીર મુગટની જેમ શોભે છે તે કાશ્મીર આખું ભારત પાસે નથી, કારણ કે તેનો કેટલોક ભાગ પાકિસ્તાને પચાવી પાડ્યું છે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

આમ છતાં ભારત અને તેની કોઈ પણ સરકાર ભારતના નક્શામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને પણ દર્શાવે છે અને આવું ન કરનાર અન્ય દેશો સામે વાંધો પણ ઉઠાવે છે. ભારતનો દરેક નાગરિક ઇચ્છે છે કે ભારતે પાકે કબજાવેલું કાશ્મીર મેળવવું જ જોઇએ.

આવામાં સાઉથના સુપર સ્ટાર અને નવા-નવા રાજકરણમાં પ્રવેશ કરનાર અભિનેતા કમલ હાસને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદનથી દરેક દેશપ્રેમીનું લોહી ઉકળે, તેવું આ નિવેદન છે.

ચેન્નઈમાં એક સભાને સંબોધતા મક્કલ નિધિ મય્યમ (MNM) પાર્ટીના નેતા કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવતા કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવવાની માંગણી કરી છે.

કમલે કહ્યું, ‘મને અફસોસ થાય છે કે જ્યારે લોકો કહે છે કે આર્મી કાશ્મીરમાં શહીદ થવા માટે જાય છે. સૈનિકોએ કેમ મરવું જોઇએ ? આપણા ઘરના વૉચમૅને પણ કેમ મરવું જોઇએ ? જો બંને દેશોના રાજનેતાઓ યોગ્ય રીતે વર્તન કરે, તો કોઈ પણ સૈનિકે શહીદ થવાની જરૂર નહીં પડે. લાઇન ઑફ કંટ્રોલ અંડર કંટ્રોલ રહેશે.’

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર જણાવતા ત્યાં જનમત સંગ્રહની પણ વાત કરી કે જે ભારત સરકારની નીતિની વિરુદ્ધ છે. કમલ હાસને કહ્યું, ‘આઝાદ કાશ્મીરમાં લોકો જેહાદીઓની તસવીરો ટ્રેનોમાં લગાવી રહ્યાં છે અને તેમને હીરોની જેમ બતાવી રહ્યા છે. આ પણ એક મૂર્ખામી ભર્યું કામ છે. ભારત પણ આવી જ મૂર્ખતાપૂર્ણ વસ્તુઓ કરી રહ્યું છે. જો આપણે ભારતને એક શ્રેષ્ઠ દેશ સાબિત કરવા માંગીએ છીએ, તો આપણે આવું વર્તન કરવું જોઇએ નહીં. કાશ્મીરમાં જનમત સંગ્રહ કરાવો અને લોકો સાથે વાત કરો. તે લોકો (સરકાર) આવું કેમ કરી રહ્યા છે ? આખરે તેઓ કોનાથી ડરે છે ?’

[yop_poll id=1559]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">